303
Join Our WhatsApp Channel
કોરોના નો પ્રકોપ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા નગરી સુધી પણ પહોંચી ગયો છે.દેશમાં વધતા કોરોના ના વ્યાપને લીધે રામ ભક્તોને ભગવાન શ્રીરામના ચરણામૃત નો પ્રસાદ નહીં મળી શકે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ચરણામૃત પ્રસાદ આપવા પર પાબંદી લગાવી દીધી છે ટ્રસ્ટના પદાધિકારીઓએ રામચંદ્ર ભૂમિના પૂજારીઓ પર ભક્તોને પ્રસાદ આપવા માટે રોક લગાવી દીધી છે.તીર્થક્ષેત્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી ના જણાવ્યા મુજબ આ રોક ફક્ત આંશિક જ છે. જ્યારે કોરોના અંગે પરિસ્થિતિ સુધરી જશે, ત્યારે પહેલાની જેમ જ ભક્તો પ્રભુનુ ચરણામૃત લઇ શકશે.
You Might Be Interested In