Site icon

Donald Trump Nobel Prize : આ ને કહેવાય ટોપ લેવલની ચાપલૂસી.. પાકિસ્તાને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા; અમેરિકી પ્રમુખે આપી આવી પ્રતિક્રિયા..

Donald Trump Nobel Prize :પાકિસ્તાને 2026 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સત્તાવાર રીતે નામાંકન કર્યું છે. પાકિસ્તાન સરકાર તરફથી એક સત્તાવાર નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પાકિસ્તાન અમેરિકન રાષ્ટ્રપતિને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકે છે.

Donald Trump Nobel Prize Pakistan nominates Donald Trump for Nobel Peace Prize for ‘leadership’ during India-Pakistan conflict

Donald Trump Nobel Prize Pakistan nominates Donald Trump for Nobel Peace Prize for ‘leadership’ during India-Pakistan conflict

News Continuous Bureau | Mumbai

Donald Trump Nobel Prize :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે તેમણે વિશ્વભરમાં ઘણા મોરચે યુદ્ધો રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દરમિયાન, પાકિસ્તાને ઔપચારિક રીતે 2026 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કર્યું છે. પાકિસ્તાને એક નિવેદનમાં જણાવ્યું છે કે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ટ્રમ્પના નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ અને મહત્વપૂર્ણ નેતૃત્વને કારણે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

Donald Trump Nobel Prize :પાકિસ્તાને યુદ્ધવિરામ લાવવા માટે ટ્રમ્પના હસ્તક્ષેપની પ્રશંસા કરી 

પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામ લાવવા માટે ટ્રમ્પના હસ્તક્ષેપની પ્રશંસા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પના પ્રયાસોને કારણે યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો, જેનાથી યુદ્ધનો મોટો ખતરો ટળી ગયો હતો. તે આ પુરસ્કાર ને હકદાર છે.

Donald Trump Nobel Prize :પાકિસ્તાને ઈરાન સાથે દગો કર્યો? અસીમ મુનીરે અમેરિકા સાથે હાથ મિલાવ્યા!

પાકિસ્તાને કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં, ઇસ્લામાબાદે ઓપરેશન બુન્યાન ઉન માર્સુસ શરૂ કર્યું. આનાથી બંને દેશો વચ્ચે તણાવ ઝડપથી વધ્યો, પરંતુ ટ્રમ્પના હસ્તક્ષેપથી પ્રદેશમાં તણાવ ઘટાડવા માં મદદ મળી. આ હસ્તક્ષેપ શાંતિ નિર્માતા તરીકે ટ્રમ્પની ભૂમિકાનો પુરાવો છે. તે વાતચીત દ્વારા આ સંઘર્ષને સમાપ્ત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુરાવો છે. મહત્વનું છે કે જ્યારે ટ્રમ્પ 7 મે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ શાંત કરવાનો શ્રેય લઈ રહ્યા છે, ત્યારે ભારત સરકાર દર વખતે તેનો ઇનકાર કરી રહી છે. ભારતનું કહેવું છે કે ભારતીય સેનાની જવાબદાર કાર્યવાહીથી પાકિસ્તાનને સંઘર્ષ બંધ કરવાની ફરજ પડી.

Donald Trump Nobel Prize :ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.?

જોકે, આ બધામાં નવાઈની વાત એ છે કે ટ્રમ્પને નથી લાગતું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મળીને, અમે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે એક સંધિ કરાવી છે. બંને વચ્ચેનું યુદ્ધ દાયકાઓથી રક્તપાત માટે જાણીતું છે. આ આફ્રિકા માટે એક મહાન દિવસ છે અને વિશ્વ માટે પણ એક મહાન દિવસ છે. પરંતુ મને આ માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.

આ સમાચાર પણ વાંચો :  Israel Iran War : યુએનના પરમાણુ વડાએ નેતન્યાહૂના દાવાને ફગાવી દીધો, કહ્યું ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની યોજના…

તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે. સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પણ મને નોબેલ પુરસ્કાર નહીં મળે.

 

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version