Site icon

ફેસબુકે બજરંગ દળને એક ખતરનાક સંગઠન કહેવાનો ઇનકાર કર્યો.. જાણો શું છે આખો મામલો… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 ડિસેમ્બર 2020 

ફેસબુકે બજરંગ દળને એક ખતરનાક સંગઠન કહેવાનો ઇનકાર કર્યો છે. જૂન મહિનામાં દિલ્હીની બહાર એક ચર્ચ ઉપર હુમલો થયા બાદ ખ્રિસ્તી સમુદાય દ્વારા આ માંગ કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે બજરંગ દળને 'ખતરનાક સંગઠન'માં શામેલ કરવાની ના પાડી હતી, અને કહ્યું હતું કે, ફેસબુક ને ભય છે કે એવું કરવા જતા બજરંગ દલના કાર્યકર્તાઓ ફેસબુક ના કર્મચારીઓ પર હુમલો કરી શકે છે અને ધંધાને પણ અસર કરી શકે છે. આ ખબર અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલમા છાપવામાં આવી છે.  

અહેવાલમાં ચર્ચના હુમલાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે, હુમલાખોરોએ ચર્ચને એક મંદિર હોવાનો દાવો કર્યો છે કે અને હુમલાખોરોએ ચર્ચમાં પ્રતિમા પણ લગાવી દીધી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બજરંગ દળના સભ્યોએ આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે. 

જો કે, આ સંદર્ભે બજરંગ દળના સ્થાપક પ્રમુખ વિનય કટિયાર કે અન્યો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દરમિયાન, વીએચપીના જનરલ સેક્રેટરીએ એક અખબારને જણાવ્યું હતું કે આ સંસ્થા અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. 

આઆ સાથે જ વીએચપીના પ્રવક્તાએ પણ ફરિયાદ ના સુરમાં જણાવ્યું હતું કે વોલ સ્ટ્રીટ જર્નલ ભારતને બદનામ કરનારા લોકોના હાથમાં રમી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળ અને વીએચપી સંઘ પરિવારનો જ ભાગ છે. 

Middle East Escalation:ટ્રમ્પની શાંતિ અપીલના ઉડ્યા ધજાગરા! ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો; કુવૈતમાં ડ્રોનથી આતંક અને વાયુ સેના હાઈ-એલર્ટ.
Middle East War Escalates:શું હવે શરૂ થશે ‘મહાજંગ’? ઈરાન વિરુદ્ધ સાઉદી અરેબિયા અને UAE મેદાને; મધ્ય પૂર્વના દેશોના આકરા તેવરથી દુનિયા સ્તબ્ધ
Netanyahu’s Stern Warning: અમે અટકીશું નહીં, હુમલા ચાલુ રહેશે!’: ટ્રમ્પ સાથેની વાતચીત બાદ નેતન્યાહૂ લાલચોળ; ૨ વૈજ્ઞાનિકોની હત્યાની કબૂલાત સાથે ઈરાનને ખુલ્લી ધમકી.
Colombia Plane Crash: એમેઝોનમાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ૬૬ જવાનોના મોતથી ખળભળાટ, જાણો કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
Exit mobile version