અલાસ્કાના આ વિસ્તારમાં હવે છેક 2021 મા થશે સૂર્યોદય.. જાણો શું છે આ કુદરતની કરામતનો કમાલ..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

21 નવેમ્બર 2020

અલાસ્કાના એક શહેરએ સૂર્યને વિદાય આપી છે અને હવે 2021 માં તે હવે પછીનો સૂર્યોદય જોશે. અગાઉ બેરો તરીકે ઓળખાતા શહેરમાં, 19 નવેમ્બર 2020 નો છેલો સૂર્યાસ્ત જોવા મળ્યો. આમ 60 દિવસથી વધુ સમયગાળા માટે હવે સુર્ય દેવતાના દર્શન આ પ્રદેશમાં દુર્લભ થઈ ગયા છે.

આર્કટિક સર્કલની ઉત્તરે એક નાનું શહેર અંધકારના વાર્ષિક તબક્કામાં પ્રવેશ્યું છે. આઆ ઘટનાને ધ્રુવીય નાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એક અહેવાલ મુજબ પૃથ્વીની અક્ષની નમીને કારણે શિયાળા દરમિયાન આ ઘટના બને છે.

હવે 22 જાન્યુઆરીના દિને આ વિસ્તારમાં સૂર્ય સત્તાવાર રીતે ઉદય કરશે. એમ ખગોળ શાસ્ત્રીઓનું કહેવું છે.

જો કે, આ ઘટના ફક્ત આ શહેર માટે જ વિશિષ્ટ નથી પરંતુ ઉત્તર ધ્રુવીય નાઇટ સ્થાનની સૂચિમાં પ્રથમ છે. આમ કહી શકાય કે અલાસ્કા ના આ વિસ્તારોમાં કેટલોક સમય 24 કલાકનો દિવસ હોય છે તો કેટલોક સમય માટે 24 કલાકની રાત હોય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More