290
Join Our WhatsApp Community
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ કંદહારના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે.
જેને પગલે ભારત સરકાર દ્વારા આશરે 50 જેટલા રાજદુતો અને સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ બધાને એરફોર્સના વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા.
આતંકીઓ ગમે ત્યારે તેમના પર હુમલો કરે તેવી શક્યતાઓને પગલે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કંદહારમાંની દૂતાવાસને બંધ કરવામાં નથી આવી. દૂતાવાસની નજીકના વિસ્તારમાં તીવ્ર લડાઈ ચાલતી હોવાથી સ્ટાફને હાલપૂરતું ખસેડી લેવામાં આવ્યો છે.
You Might Be Interested In