Site icon

Iran on Ceasefire:ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો, ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ પર આપ્યો સ્પષ્ટ જવાબ; કહ્યું : ‘ઇઝરાયલે પહેલા હુમલા બંધ કરે..’

Iran on Ceasefire:છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે નું યુદ્ધ હવે સમાપ્ત થવાના આરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી છે. જોકે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે. અરાઘચીએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં આવો કોઈ કરાર થયો નથી.

Iran on Ceasefire Iran Foreign Minister Says No Final Ceasefire Agreement With Israel After Donald Trump Claim

Iran on Ceasefire Iran Foreign Minister Says No Final Ceasefire Agreement With Israel After Donald Trump Claim

News Continuous Bureau | Mumbai

Iran on Ceasefire:ઈરાન પર હુમલો કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. પરંતુ ઈરાને તેમના દાવાને નકારી કાઢ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયાના દાવાને નકારી કાઢ્યો છે. અરાઘચીએ કહ્યું છે કે હાલમાં આવી કોઈ સમજૂતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનાર તેઓ જ હતા. ભારતે પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો.

Join Our WhatsApp Community

Iran on Ceasefire:ઈરાને શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો પછી, સવારે 4.16 વાગ્યે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે. તેમણે સોશિયલ પ્લેટફોર્મ X પર પોતાનો સંદેશ પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે, યુદ્ધવિરામ કે લશ્કરી કાર્યવાહીના અંત અંગે હજુ સુધી કોઈ કરાર થયો નથી. ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. ઈરાને ફક્ત સ્વ-બચાવમાં જ જવાબ આપ્યો હતો. તેથી, યુદ્ધ અટકાવવાની જવાબદારી પણ ઇઝરાયલની છે. ઇઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ. જો ઇઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન પણ બદલો લેશે નહીં.

 

Iran on Ceasefire: ઇઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ

અરાઘચીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઇરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું નથી. તે ઇઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી, બંને દેશો વચ્ચે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે કોઈ કરાર થયો નથી. જો ઈઝરાયલ ઈરાન પર હુમલા બંધ કરશે, તો અમે હુમલા બંધ કરીશું. ઇઝરાયેલ દ્વારા હુમલા બંધ થયા પછી અમારી લશ્કરી કાર્યવાહી સમાપ્ત કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Israel-Iran tensions: જો ઇરાને બંધ કર્યો હોર્મુઝ સ્ટ્રેટ તો દુનિયામાં મચી જશે હાહાકાર, ભારત પણ થશે પ્રભાવિત, જાણો કેન્દ્ર સરકાર કયા દેશોમાંથી આયાત કરે છે ક્રૂડ ઓઇલ

Iran on Ceasefire:ટ્રમ્પે કહ્યું ઇરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયુ 

અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. ઇરાન યુદ્ધવિરામ માટે તૈયાર છે. બાદમાં, તેહરાને આ દાવાને નકારી કાઢ્યો હતો. ઇરાને કહ્યું છે કે તેને યુએસ તરફથી યુદ્ધવિરામ માટે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પરંતુ ઇઝરાયલ યુએસના દાવા પર મૌન રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Exit mobile version