Khyber Pakhtunkhwa: પાકિસ્તાનમાં હવે આતંકીઓ PoK ને બદલે આ જગ્યા ને બનવી રહ્યા છે પોતાનું નવું ઠેકાણું

‘ઓપરેશન સિંદૂર’ માં 9 આતંકી અડ્ડાઓનો ખાત્મો થયા બાદ હવે આતંકી સંગઠનો પોતાની રણનીતિ બદલી રહ્યા છે. પાકિસ્તાનમાં હવે આતંકીઓ PoKને બદલે ખૈબર પખ્તુનખ્વાને પોતાનું નવું ઠેકાણું બનાવી રહ્યા છે.

by Dr. Mayur Parikh
hyber Pakhtunkhwa પાકિસ્તાનમાં હવે આતંકીઓ PoK ને બદલે આ જગ્યા ને બનવી રહ્યા છે પોતાનું નવું ઠેકાણું

News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં આતંકી સંગઠનો ફરી સક્રિય થયા છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી આતંકીઓએ પોતાની રણનીતિ બદલી છે અને હવે PoKને બદલે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નવા ઠેકાણાઓ બનાવી રહ્યા છે. તાજેતરમાં, જૈશ-એ-મોહમ્મદ અને જમીઅત ઉલેમા-એ-ઇસ્લામ દ્વારા અહીં એક ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વોન્ટેડ આતંકી મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ યુવાનોને જેહાદમાં જોડાવા માટે ઉશ્કેર્યા હતા. આ સંમેલનમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ પાકિસ્તાની સેના અને સરકાર સાથે જૈશના સંબંધોનો પણ ખુલાસો કર્યો હતો.

ઓસામા બિન લાદેનના વખાણ અને પાકિસ્તાની સેના સાથે સાંઠગાંઠ

પોતાના ભાષણમાં, આતંકી મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ આતંકી ઓસામા બિન લાદેનનાં ખુલ્લેઆમ વખાણ કર્યા અને કહ્યું કે ખૈબર પખ્તુનખ્વાની ધરતીએ 11 વર્ષ સુધી તેને આશ્રય આપ્યો હતો. તેણે પાકિસ્તાની સેના અને સરકાર સાથે જૈશ-એ-મોહમ્મદના સંબંધોને પણ જાહેરમાં સ્વીકાર્યા. તેણે દાવો કર્યો કે જ્યારે ભારતના હુમલામાં મસૂદ અઝહરના પરિવારના સભ્યો માર્યા ગયા, ત્યારે પાકિસ્તાની સેનાના વડાએ આતંકીઓના અંતિમ સંસ્કારમાં સેનાના કમાન્ડરો અને સૈનિકોને સલામી આપવાનો આદેશ આપ્યો હતો. તેણે કહ્યું કે 25 વર્ષની મહેનત પછી જૈશે પાકિસ્તાની સેના અને સરકારને ‘જેહાદી’ બનાવી દીધા છે.

કોણ છે મસૂદ ઇલિયાસ કાશ્મીરી?

મસૂદ ઇલિયાસ કાશ્મીરી, જેનું મૂળ નામ અબુ મોહમ્મદ છે, તે PoKના રાવલકોટનો રહેવાસી છે. તે વર્ષ 2001થી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. તેણે અફઘાનિસ્તાનમાં નાટો સેના સામે યુદ્ધ કર્યું અને 2007માં પાકિસ્તાન પાછા ફરીને રાવલકોટ જિલ્લાનો કમાન્ડર બન્યો. 2011માં અલ-કાયદાના એક નેતાના મૃત્યુ પછી તેણે પોતાનું નામ બદલ્યું અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ બન્યો. તેનું મુખ્ય કામ ખૈબર પખ્તુનખ્વાના યુવાનોને જેહાદ માટે તૈયાર કરવાનું છે.

આ સમાચાર પણ વાંચો : Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

UNSC અધ્યક્ષ હોવા છતાં પાકિસ્તાન આતંકને પ્રોત્સાહન આપી રહ્યું છે

આ સમયે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નો અધ્યક્ષ છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 17 ઓક્ટોબર, 2001ના રોજ જૈશ-એ-મોહમ્મદને પ્રતિબંધિત કર્યું હતું. પરંતુ આતંકી સંગઠનોને પાકિસ્તાની પોલીસ સુરક્ષા આપી રહી છે અને તેમના અધિકારીઓ પણ આતંકી મઝમાઓમાં હાજર રહે છે. એક રિપોર્ટ મુજબ, ગઢી હબીબુલ્લાહમાં થયેલા સંમેલનમાં પાકિસ્તાની પોલીસના અધિકારીઓ આતંકી સંગઠનોના ઝંડા સાથે જોવા મળ્યા હતા, અને થાણાના ઈન્સ્પેક્ટર પણ મંચ પર હાજર હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More