Pakistan: જેલમાં વધી રહ્યો છે ઈમરાન ખાનને મોતનો ડર, કહ્યું હત્યાનો થઈ શકે પ્રયાસ.. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં..

Pakistan: પાકિસ્તાનમાં નવાઝ શરીફની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. દેશના પૂર્વ પીએમ ઈમરાન ખાને શુક્રવારે આશંકા વ્યક્ત કરી હતી કે જેલમાં તેમને સ્લો પોઈઝન આપીને તેમના મોત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવી શકે છે…

by NewsContinuous Bureau
Pakistan: Imran Khan's fear of death is increasing in jail, he said there may be an attempt to murder.. Know what this case is…

News Continuous Bureau | Mumbai 

Pakistan: પાકિસ્તાન (Pakistan) માં નવાઝ શરીફ (Nawaz Sharif) ની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. દેશના પૂર્વ પીએમ ઈમરાન ખાને (Imran Khan) શુક્રવારે આશંકા વ્યક્ત કરી હતી કે જેલ (Jail) માં તેમને સ્લો પોઈઝન (Slow Poison) આપીને તેમને મોત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવી શકે છે. ઈમરાને કહ્યું કે તેની સાથે આવું થઈ શકે છે કારણ કે તેણે દેશ છોડવાની ના પાડી દીધી છે.

 

ઇમરાન ખાનના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પૂર્વ PMને ટાંકીને કહ્યું છે કે, હું મારો દેશ છોડવા માટે સંમત થઈશ નહીં, તેથી તેઓ જેલમાં મારો જીવ લેવાનો બીજો પ્રયાસ કરી શકે છે. સ્લો પોઈઝન આપીને પણ આ પ્રકારનો પ્રયાસ કરી શકાય છે. ઈમરાન ખાન હાલમાં ગોપનીય રાજદ્વારી દસ્તાવેજ લીક કેસમાં અદિયાલા જેલમાં બંધ છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Mega Block: રવિવારે શું બહાર જવાનું આયોજન છે? તો જાણો ક્યાં અને કેટલો સમય રહેેશે મેગાબ્લોક.. વાંચો વિગતે અહીં…

મારો જીવ લેવાના બે વખત જાહેરમાં પ્રયાસ થઈ ચૂક્યા છે: ઈમરાન ખાન…

PTI ચીફે કહ્યું છે કે તેઓ આ સમયે સંપૂર્ણ સ્વસ્થ છે. નબળાઈને કારણે તેના શરીરમાં કોઈ ફેરફાર થશે તો હું અનુભવીશ. તેમણે કહ્યું કે મારો જીવ લેવાના બે વખત જાહેરમાં પ્રયાસ થઈ ચૂક્યા છે. ઈમરાન ખાને આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે પાકિસ્તાનની એક અદાલતે રાજદ્વારી દસ્તાવેજોના મામલામાં તેમની જામીન અરજી અને FIR રદ કરવાની વિનંતીને ફગાવી દીધી છે.

ઈમરાન ખાને પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તેણે કહ્યું છે કે તેમની સામેના તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત અને બનાવટી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી સુધી તેમને જેલમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે સોમવારે PTI ચીફ અને તેના નજીકના સાથી શાહ મહમૂદ કુરેશીને એક કેસમાં દોષિત ઠેરવ્યા છે.

ઈમરાન ખાને રાષ્ટ્રને આપેલા સંદેશમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણે પોતાની આંખોથી કાયદાનો મજાક બનતો જોયો છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે લંડનના કોઈ પ્લાનનું પરિણામ નથી, પરંતુ એક કાયર ભાગેડુ અને ભ્રષ્ટ ગુનેગાર અને તેના મદદગારો વચ્ચેની લંડન ડીલનું પરિણામ છે.

આ સમાચાર પણ વાંચો :  Assam: વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ: બદરુદ્દીન અજમલનું વિવાદાસ્પદ નિવેદન.. જાણો વિગતે અહીં..

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More