Pakistan Israel Conflict: પાકિસ્તાનની હાલત ‘સૂંઢ વગરના હાથી’ જેવી! ઈઝરાયેલની ફટકાર પડતા જ મધ્યસ્થી બનવાના સપના ચૂર-ચૂર, રક્ષા મંત્રીએ બદલ્યા સૂર

Pakistan Israel Conflict: ખ્વાજા આસિફના ઝેરીલા નિવેદનથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી ખરડાઈ; ઇઝરાયેલે પાકિસ્તાનની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા કહ્યું- ‘નફરત અને શાંતિ એકસાથે ન ચાલી શકે’.

by Akash Rajbhar
Pakistan’s Double Standards Defense Minister Khawaja Asif falls silent after Israel’s stern rebuke over hateful remarks.

News Continuous Bureau | Mumbai

 રાજદ્વારી દુનિયામાં શબ્દોની કિંમત ખૂબ મોટી હોય છે, અને આ વખતે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પોતાના જ બોલેલા શબ્દોમાં ફસાઈ ગયા છે. ગઈકાલ સુધી ઇઝરાયેલ વિરુદ્ધ સતત ઝેર ઓકનારા ખ્વાજા આસિફ, ઇઝરાયેલની આકરી ફટકાર બાદ હવે શાંત પડી ગયા છે. એક તરફ પાકિસ્તાન દુનિયાની સામે એવી છબી બનાવી રહ્યું છે કે તે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાવી રહ્યું છે, તો બીજી તરફ તેમના જ મંત્રીના વિવાદાસ્પદ નિવેદને આખી બાજી બગાડી નાખી છે.ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પર ઇઝરાયેલને ‘માનવતા માટે અભિશાપ’ ગણાવ્યું હતું અને ઇઝરાયેલની સ્થાપના કરનારાઓ પર પણ નિશાન સાધ્યું હતું. એક ન્યૂઝ એજન્સી મુજબ, આસિફે એવો દાવો કર્યો હતો કે ઇસ્લામાબાદમાં જ્યારે શાંતિની વાતો ચાલી રહી છે ત્યારે ઇઝરાયેલ ગાઝા અને લેબનોનમાં નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે. આ નિવેદન બાદ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય મંચ પર ભારે ફજેતી થઈ રહી છે.

ઇઝરાયેલનો પાકિસ્તાન પર વળતો પ્રહાર

ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું કે જે દેશ પોતે શાંતિનો મધ્યસ્થી હોવાનો દાવો કરતો હોય, તેના મંત્રી તરફથી આવું વાંધાજનક નિવેદન અસ્વીકાર્ય છે. ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદૌન સારએ પણ પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે, એક તરફ તમે શાંતિની વાતો કરો છો અને બીજી તરફ તમારા મંત્રીઓ ઝેર ઓકે છે, આ પાકિસ્તાનનું બેવડું વલણ છે.

આ સમાચાર પણ વાંચો  Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો

મધ્યસ્થીની ભૂમિકા અને ખરડાયેલી છબી

પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પાકિસ્તાન પોતાની છબી સુધારવા માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યું હતું, પરંતુ ખ્વાજા આસિફના એક નિવેદને આ મહેનત પર પાણી ફેરવી દીધું છે. ઇઝરાયેલની આકરી પ્રતિક્રિયા બાદ જે મંત્રી સતત પોસ્ટ કરી રહ્યા હતા, તેઓ હવે રહસ્યમય રીતે મૌન થઈ ગયા છે.

 શાંતિ વાર્તા પર અસર થવાની શક્યતા

હવે મોટો પ્રશ્ન એ છે કે શું આ વિવાદની અસર આગામી શાંતિ વાર્તા પર પડશે? ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તેને પાકિસ્તાનનો આ દંભી વ્યવહાર પસંદ આવ્યો નથી. પાકિસ્તાન અત્યારે વિશ્વ મંચ પર પોતાની વિશ્વસનીયતા સાબિત કરવા મથી રહ્યું છે, ત્યારે આવા આક્રમક અને નફરતભર્યા નિવેદનો તેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More