Site icon

Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિદેશમાં પણ મચી ધૂમ.. હવે આ દેશ રામ મંદિરના ઉદ્ઘાટન દિવસે કર્મચારીઓને આપશે આટલા કલાકનો બ્રેક..

Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. દેશભરમાં આ માટે ઉત્સાહ છે. ત્યારે વિદેશમાં પણ આ દિવસને ખાસ બનાવવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

Pran Pratishtha Mohotsav of Ram Mandir created a stir abroad too Now this country will give 2 hours of break to the employees on the inauguration day of Ram Mandir..

Pran Pratishtha Mohotsav of Ram Mandir created a stir abroad too Now this country will give 2 hours of break to the employees on the inauguration day of Ram Mandir..

News Continuous Bureau | Mumbai

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે . દરમિયાન, ભારતના મિત્ર દેશ મોરેશિયસ ( Mauritius )  દેશે શુક્રવારે (12 જાન્યુઆરી)એ જાહેરાત કરી હતી કે હિંદુ ધર્મના લોકોને ( Hindu People ) 22 જાન્યુઆરીએ 2 કલાકનો બ્રેક આપવામાં આવશે. મોરેશિયસ સરકારે કહ્યું કે આ બ્રેક હિંદુ ધર્મનું ( Hinduism ) પાલન કરનારા સરકારી કર્મચારીઓને ( government employees ) આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી.  

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં મોરેશિયસ સનાતન ધર્મ મંદિર ફેડરેશને ( Mauritius Sanatan Dharma Temples Federation ) મોરેશિયસ દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને ( Pravind Kumar Jugnauth ) પત્ર લખ્યો હતો. ફેડરેશને પત્રમાં લખ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં, 22 જાન્યુઆરીએ સમારોહનું પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે હિંદુ ધર્મના લોકોને બે કલાકનો વિરામ આપવો જોઈએ.

મોરેશિયસમાં 48.5% વસ્તી હિન્દુ ધર્મની છે…

નોંધનીય છે કે, મોરેશિયસમાં 48.5% વસ્તી હિન્દુ ધર્મની છે. આ નિર્ણય અંગે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથે કહ્યું કે ભાવનાઓ અને પરંપરાઓનું સન્માન કરવાની આ એક નાની પહેલ છે. રામ મંદિરનું નિર્માણ સમગ્ર હિંદુ ધર્મ માટે એક ઐતિહાસિક ઘટના છે, તે રામલલાના અયોધ્યા પરત ફરવાનું પ્રતીક છે. હિંદુ સામાજિક-સાંસ્કૃતિક જૂથોની અપીલ પર, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથએ શુક્રવારે મંત્રી પરિષદને બોલાવી. જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હિંદુ ધર્મનું પાલન કરનારા લોકોને 22 જાન્યુઆરીએ 2 કલાકનો બ્રેક આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા કરશે, યમ નિયમનું પાલન.. જાણો શું છે આ યમ નિયમ.. કેમ છે શાસ્ત્રોકત રીતે મહત્ત્વપૂર્ણ આ નિયમ.

આ વિરામ મોરેશિયસમાં રહેતા સનાતન ધર્મના શ્રમજીવી વર્ગના લોકોને ( Ayodhya ) અયોધ્યામાં અભિષેક સમારોહનું જીવંત પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપશે. આફ્રિકામાં મોરેશિયસ એકમાત્ર એવો દેશ છે જ્યાં મોટાભાગના લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે. સંખ્યાના આધારે, ભારત અને નેપાળ પછી અહીં હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે.

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Pakistan LNG Supply Crisis: કતારના એક નિર્ણયથી પાકિસ્તાન ‘ભિખારી’ જેવી હાલતમાં, LNG સપ્લાય બંધ થતા અંધારપટનું જોખમ.
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
Exit mobile version