News Continuous Bureau | Mumbai
Russia Plane Crash Crimea રશિયામાં એક મોટી સૈન્ય વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના હવાલાથી ન્યૂઝ એજન્સી એ જણાવ્યું હતું કે, રશિયાનું એક ‘એન્ટોનોવ-26’ સૈન્ય પરિવહન વિમાન ક્રિમિયા દ્વીપકલ્પ (Crimea) પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના કરુણ મોત નિપજ્યા છે. રશિયન સેના માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ક્રિમિયાના આકાશમાં વિમાનનો સંપર્ક તૂટ્યો
રશિયન સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ દુર્ઘટના મંગળવારે, 31 માર્ચની સાંજે (મોસ્કો સમય મુજબ લગભગ 18:00 વાગ્યે) થઈ હતી. વિમાન તેની નિર્ધારિત ઉડાન પર હતું, ત્યારે અચાનક કંટ્રોલ રૂમ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. શોધ અને બચાવ ટુકડીઓએ ભારે જહેમત બાદ દુર્ઘટનાગ્રસ્ત સ્થળ શોધી કાઢ્યું હતું, પરંતુ કમનસીબે કાટમાળમાંથી કોઈ પણ વ્યક્તિ જીવિત મળી આવી નહોતી.
23 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સના મોત
દુર્ઘટનાસ્થળેથી મળેલા અહેવાલો મુજબ, વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ સભ્યો અને 23 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. બચાવકર્મીઓને ઘટનાસ્થળે માત્ર વિમાનના અવશેષો અને મૃતદેહો જ મળ્યા છે. આ વિમાન સૈન્ય સાધનો અને જવાનોને લઈ જઈ રહ્યું હતું કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ જાનહાનિનો આ આંકડો રશિયન એરફોર્સ માટે ખૂબ જ મોટો છે.
આ સમાચાર પણ વાંચો : April Rule 2026: આજથી બદલાઈ ગયા આ 7 મોટા નિયમો; રેલવે ટિકિટ, ATM ટ્રાન્ઝેક્શન અને ઇનકમ ટેક્સમાં થયેલા ફેરફારોની તમારા ખિસ્સા પર શું થશે અસર?
હુમલાના કોઈ સંકેત નથી, ટેકનિકલ ખામીની આશંકા
પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, વિમાનના કાટમાળ પર કોઈ પણ બાહ્ય હુમલા કે મિસાઈલ પ્રહારના નિશાન મળ્યા નથી. આથી અત્યારે એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે કોઈ મોટી ટેકનિકલ ખામીને કારણે આ વિમાન ક્રેશ થયું છે. રશિયાએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.
Join Our WhatsApp Community