Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો

Pakistan nuclear weapons: "બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ" ના એક નવા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયાર છે અને તે મોટા પાયે યુરેનિયમ સંવર્ધન પર પણ કામ કરી રહ્યું છે. આ ખુલાસાથી ભારતીય સુરક્ષા માટે નવી ચિંતાઓ ઊભી થઈ છે, ખાસ કરીને તાજેતરના તણાવ પછી

by Dr. Mayur Parikh
Pakistan nuclear weapons પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

News Continuous Bureau | Mumbai

Pakistan nuclear weapons છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાક્રમ વચ્ચે, પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગાર ને લઈને એક મોટી અને ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ભારતની સુરક્ષા માટે વધુ પડકારો ઊભા કર્યા છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સંખ્યાનો ખુલાસો

“બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ” દ્વારા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન પાસે હાલમાં લગભગ 170 પરમાણુ હથિયારો છે. જોકે, 2023 પછી આ સંખ્યામાં કોઈ વધારો થયો નથી. અગાઉ 1999માં અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ અનુમાન લગાવ્યું હતું કે 2020 સુધીમાં પાકિસ્તાન પાસે 60 થી 80 પરમાણુ હથિયારો હશે, પરંતુ વાસ્તવિક સંખ્યા તેના કરતા ઘણી વધારે છે. આ રિપોર્ટ દર્શાવે છે કે પાકિસ્તાને તેના શસ્ત્રાગાર ને ઝડપથી વિકસાવ્યું છે.

યુરેનિયમ સંવર્ધન અને ભવિષ્યની યોજનાઓ

રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ઘણા એવા હથિયારો વિકસાવ્યા છે જે પરમાણુ વોરહેડ્સ લઈ જવા સક્ષમ છે. પાકિસ્તાન પાસે ચાર પ્લુટોનિયમ પ્રોડક્શન રિએક્ટર છે અને તે મોટા પાયે યુરેનિયમ સંવર્ધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે ભવિષ્યમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારો ની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે, જે આ ક્ષેત્ર માટે અસ્થિરતા ઊભી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ

ભારત સાથેના સંબંધો અને તણાવની સ્થિતિ

આ રિપોર્ટમાં એક મહત્વની વાત એ પણ જણાવવામાં આવી છે કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ભારતના પરમાણુ કાર્યક્રમ સાથે સીધો જોડાયેલો છે. રિપોર્ટ અનુસાર, જો ભારત તેના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરશે, તો પાકિસ્તાન પણ આ દિશામાં ઝડપથી કામ કરશે. જો ભારત પરમાણુ હથિયારો પર કામ ન કરે, તો પાકિસ્તાન પણ તેના કાર્યક્રમને સ્થિર રાખી શકે છે. હાલમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બની રહી છે, જેમાં પરમાણુ હથિયારો પરની આ રિપોર્ટ ચિંતા વધારી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More