Site icon News Continuous Bureau | Mumbai

Sita Temple :અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાદ હવે આ દેશમાં બનશે માતા સીતાનું મંદિરઃ અહેવાલ..

Sita Temple : રામ મંદિરનું ભવ્ય ઉદ્દઘાટન પૂર્ણ થઈ ગયુ છે અને મંદિરના પ્રવેશ દ્વાો પણ હવે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે હવે માતા સીતાના મંદિરને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે. જાણું છે આ સમાચાર..

Srilanka Mata Sita Temple After the grand Ram Temple in Ayodhya, Mother Sita's temple will now be built in this country report..

Srilanka Mata Sita Temple After the grand Ram Temple in Ayodhya, Mother Sita's temple will now be built in this country report..

News Continuous Bureau | Mumbai 

Sita Temple : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ ભારતમાં રામ મંદિરના ઉદ્ઘાટન થઈ ગયું છે અને ભક્તો માટે મંદિરના પ્રવેશ દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ હવે એક અહેવાલમાં સામે આવ્યું છે કે શ્રીલંકામાં ( Sri Lanka ) માતા સીતાના મંદિરના નિર્માણ કરવામાં આવશે. સુત્રોના મુજબ, મધ્યપ્રદેશના સીએમ ડો.મોહન યાદવે ( Dr. Mohan Yadav ) આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક મિડીયા રિપોર્ટમાં કહ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લીધો છે. 

Join Our WhatsApp Channel

મિડીયા રિપોર્ટ મુજબ, સીએમ યાદવનું કહેવું છે કે, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજે શ્રીલંકાના દિવુરામપોલામાં ( Divurumpola ) આ મંદિર બનાવવાની વાત કરી હતી. તેમણે વઘુમાં કહ્યું, અમે જૂની યોજનાઓ પર ફરી કામ કરવાનું વિચારી રહ્યા છીએ અને અમારો પ્રયાસ છે કે અમે અમારા યોગ્ય સંસાધનોના આધારે માતા સીતાના મંદિરના ( Mata Sita Mandir ) નિર્માણમાં ચોક્કસપણે પહેલ કરીશું. હવે અમે મંદિરના નિર્માણના નિર્ણયની સમીક્ષા કરીશું. તેમજ આ કામમાં સંસ્કૃતિ મંત્રાલયની મદદ પણ કરીશું.

 મધ્યપ્રદેશ સરકાર માતા સીતાના મંદિરના નિર્માણનું વર્ષો જૂનું સપનું પૂરું કરી શકે છે….

પોંગલ મહિનામાં ઉત્સાહભેર ઉજવણી કરવા માટે તમિલ લોકો શ્રીલંકાના આ વિસ્તારમાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાને અશોક વાટિકામાં જ માતા સીતાને શ્રી રામની વીંટી આપી હતી અને તેના આધારે અહીં તહેવાર ઉજવવામાં આવે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોની મજબૂતી પાછળ પણ આ જ કારણ છે. તેથી, સીએમ યાદવ કહે છે કે મધ્યપ્રદેશ સરકાર ( Madhya Pradesh Govt ) માતા સીતાના મંદિરના નિર્માણનું વર્ષો જૂનું સપનું પૂરું કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : KFC in Ayodhya: અયોધ્યામાં ખુલશે હવે KFC શોપ.. બસ કરવુ પડશે આ શરતનું પાલનઃ અહેવાલ.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશ સરકાર ઘણા વર્ષોથી મંદિર બનાવવાનું વિચારી રહી છે, પરંતુ આ મુદ્દો 2016થી એમ જ પડ્યો છે. જો શ્રીલંકાની સરકાર આ મંદિર બનાવવા માટે સંમત થશે તો તેનાથી દેશમાં ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળશે. મધ્યપ્રદેશના સીએમ ડો.મોહન યાદવ અવારનવાર ધાર્મિક મુદ્દાઓ પર વાત કરે છે. તાજેતરમાં 2028માં યોજાનારા કુંભ મેળાને લઈને તેમણે કહ્યું હતું કે આ વખતે આખી દુનિયા જોશે કે મેળાનો આનંદ કેવો હોય છે.

 

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
US UFO Secret Files| અમેરિકાની ‘ટોપ સીક્રેટ’ ફાઇલો ખુલી! એલિયન્સ અને UFO ના અસ્તિત્વ પર ડોનાલ્ડ ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, જાણો શું છે સત્ય
India US AI Cooperation। નવા યુગની તૈયારી! ભારત અને અમેરિકા વચ્ચે AI સહયોગ વધારવા પર મહોર; વિરોધી દેશોના ‘ટેકએકાધિકાર’ ને તોડવા માટે માસ્ટરપ્લાન તૈયાર
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Exit mobile version