Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.

Strategic Masterstroke:પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ઈરાને ભારત સાથેની મિત્રતા પર મૂક્યો ભાર; અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ચાબહાર પ્રોજેક્ટને પ્રાથમિકતા આપતા નવી દિલ્હીની રણનીતિક જીત.

by Janvi Soni
Strategic Masterstroke: Iran calls Chabahar Port the 'Golden Bridge' of friendship with India; a setback for China and Pakistan.

News Continuous Bureau | Mumbai

 Strategic Masterstroke:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અનિશ્ચિતતા વચ્ચે ઈરાને ભારત સાથેની પોતાની અતૂટ મિત્રતાનો પુનરોચ્ચાર કર્યો છે. ઈરાની દૂતાવાસે ચાબહાર બંદરના ફોટા શેર કરતા તેને ભારત-ઈરાન મૈત્રીનો ‘સુવર્ણ સેતુ’ (Golden Bridge) ગણાવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના યુદ્ધવિરામ બાદ ઈરાનનો આ સંદેશ ચીન અને પાકિસ્તાન માટે મોટા આંચકા સમાન માનવામાં આવે છે.ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ચાબહાર બંદર બંને દેશો વચ્ચેના સહયોગ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. ખાસ કરીને જ્યારે પ્રાદેશિક તણાવને કારણે રાજદ્વારી ગતિવિધિઓ પ્રભાવિત થઈ રહી છે, ત્યારે ચાબહાર પ્રોજેક્ટ પર ઈરાનનો ભાર ભારતની મજબૂત વિદેશ નીતિ દર્શાવે છે.

ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

ચાબહારમાં ભારતની હાજરી હંમેશા ચીન અને પાકિસ્તાન માટે ચિંતાનો વિષય રહી છે. પાકિસ્તાને આ પ્રોજેક્ટને નબળો પાડવા અનેક ષડયંત્રો રચ્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ, ચીન પોતાના ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ દ્વારા આ વિસ્તારમાં પ્રભુત્વ જમાવવા માંગે છે, પરંતુ ભારત ચાબહાર દ્વારા તેને જોરદાર સ્પર્ધા આપી રહ્યું છે. ઈરાને ભારતને પ્રાધાન્ય આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે નવી દિલ્હી સાથેના આર્થિક અને સામરિક સંબંધોને વધુ મહત્વ આપે છે.

આ સમાચાર પણ વાંચો: LPG: સિલિન્ડર બુક કરાવતા પહેલા આ કામ પતાવી લેજો! LPG બુકિંગના બદલાયા નિયમો

હોર્મુઝ સંકટ વચ્ચે પણ ભારતને મળી રાહત

જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ હતો, ત્યારે પણ ઈરાને ભારત અને તેના મિત્ર દેશોના જહાજોને હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી પસાર થવા માટે વિશેષ મંજૂરી આપી હતી. આનાથી સાબિત થાય છે કે તેહરાન માટે ભારત સાથેના સંબંધો કેટલા મહત્વના છે. ઈરાને તણાવ ઘટાડવા માટે ભારતે ભજવેલી રાજદ્વારી ભૂમિકાની પણ ખુલ્લા મને પ્રશંસા કરી છે.

અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાનો માર્ગ મોકળો

ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે કારણ કે તેના દ્વારા ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને સીધું અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સુધી પહોંચી શકે છે. યુદ્ધ જેવી સ્થિતિમાં પણ આ બંદર સુરક્ષિત રહ્યું છે, જે રોકાણકારો માટે હકારાત્મક સંકેત છે. નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં ચાબહાર એક મુખ્ય આર્થિક કોરિડોર તરીકે ઉભરશે જે બંને દેશોના હિતોનું રક્ષણ કરશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More