ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તાલિબાને બન્ને દેશને શાંતિની અપીલ કરી છે.
તાલિબાને કહ્યું છે કે બન્ને દેશએ મંત્રણા મારફતે તમામ સમસ્યાનો ઉકેલ મેળવવો જોઈએ.
વિદેશ વિભાગે કહ્યું છે કે યુદ્ધમાં સામેલ દેશ એવું કોઈ પગલું ન ભરે કે જેથી હિંસા અને ભડકી ઉઠે. અમે યુદ્ધમાં ફસાયલા નાગરિકોને લઈ ચિંતિત છીએ.
