News Continuous Bureau | Mumbai
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈના નિધન બાદ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે ખામેનેઈએ તેમને મારવા માટે બે વાર પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સફળ થાય તે પહેલા જ અમેરિકાએ તેમને ખતમ કરી દીધા. ‘ધ સ્પેક્ટેટર ઈન્ડેક્સ’ મુજબ, ટ્રમ્પે વોશિંગ્ટનમાં આ નિવેદન આપતા વૈશ્વિક રાજકારણમાં હડકંપ મચાવી દીધો છે.ટ્રમ્પે ઈરાની શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા ૫૦ વર્ષોથી આ “લોહી તરસ્યું આતંકવાદી શાસન” અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે આવી અસહ્ય ધમકીઓ સહન કરવામાં આવશે નહીં. અમેરિકાએ છેલ્લા ૩૬ કલાકથી ઈરાન વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં ઈરાનની સમગ્ર સૈન્ય કમાન અને સેંકડો લશ્કરી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.
ઈરાની સેનાને ‘શરણાગતિ અથવા મૃત્યુ’નો વિકલ્પ
ટ્રમ્પે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ, સેના અને પોલીસને કડક શબ્દોમાં અપીલ કરી છે કે તેઓ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને આત્મસમર્પણ કરે. જો તેઓ આમ કરશે તો તેમને સુરક્ષા આપવામાં આવશે, અન્યથા તેમણે “નિશ્ચિત મૃત્યુ” નો સામનો કરવો પડશે. ટ્રમ્પે ઈરાની દેશભક્તોને આહવાન કર્યું છે કે આ સમયનો લાભ ઉઠાવીને પોતાના દેશને આ કટ્ટરપંથી શાસનથી મુક્ત કરાવે.
આ સમાચાર પણ વાંચો : Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
‘ઓપરેશન એપિક ફ્યુરી’ ની સફળતા
અમેરિકા અને તેના સહયોગી દેશોએ ઈરાનમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને રિવોલ્યુશનરી ગાર્ડના ઠેકાણાઓ પર જોરદાર હુમલા કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના ૯ જહાજો અને તેમના નૌકા ભવનને નષ્ટ કરી દીધા છે. ખામેનેઈના નિધન સાથે જ ઈરાનની સમગ્ર સૈન્ય કમાન વેરવિખેર થઈ ગઈ છે અને અનેક સૈનિકો પોતાનો જીવ બચાવવા આત્મસમર્પણ કરી રહ્યા હોવાના અહેવાલ છે.
પરમાણુ હથિયારોનો ખતરો ખતમ કરવાનો વાયદો
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે આ પગલાં એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી હતા કે અમેરિકાએ ક્યારેય પરમાણુ હથિયારોથી સજ્જ આતંકવાદી શાસનનો સામનો ન કરવો પડે. તેમણે કહ્યું, “મેં તમારી સાથે એક વાયદો કર્યો હતો (ઈરાનને રોકવાનો), અને મેં તે વાયદો પૂરો કર્યો છે.” જ્યાં સુધી અમેરિકાના તમામ લક્ષ્યો પૂરા નહીં થાય ત્યાં સુધી આ સૈન્ય અભિયાન ચાલુ રહેશે તેવી પણ તેમણે ખાતરી આપી છે.