Site icon

Donald Trump Mediation: હિંદુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ: ટ્રમ્પના પ્રયાસો છતાં હવાઈ હુમલાને કારણે બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરાવેલો યુદ્ધવિરામ માત્ર ૪૫ દિવસમાં તૂટ્યો; થાઈલેન્ડે કંબોડિયાની સરહદ પર હવાઈ હુમલો કર્યો, એક સૈનિકનું મૃત્યુ.

Donald Trump Mediation હિંદુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ ટ્રમ્પના પ્રયાસો

Donald Trump Mediation હિંદુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ ટ્રમ્પના પ્રયાસો

News Continuous Bureau | Mumbai

Donald Trump Mediation  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુદ્ધવિરામ કરાવ્યાના મોટા મોટા દાવા કરતા રહે છે. પરંતુ માત્ર ૪૫ દિવસમાં બે દેશો યુદ્ધના ઉંબરે આવી પહોંચ્યા છે. થોડા મહિનાઓ પહેલા એક પ્રાચીન હિંદુ મંદિર પરથી આ બે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા શરૂ થઈ છે. થાઈલેન્ડે ફરી એકવાર કંબોડિયાની સરહદ પર હવાઈ હુમલો કર્યો છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો. થાઈલેન્ડે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને હવાઈ હુમલો કર્યો. બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. એક થાઈ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, કંબોડિયાએ અમારા પર હુમલો કર્યો. તેમાં એક થાઈ સૈનિકનું મૃત્યુ થયું અને બે ઘાયલ થયા.

Join Our WhatsApp Community

કંબોડિયાનો વિરોધ

કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. ૮ ડિસેમ્બર ૨૦૨૫ ના સવારે લગભગ ૫.૦૪ મિનિટે થાઈ સૈન્ય દળોએ પ્રેહ વિહિયર પ્રાંતના સેસ ક્ષેત્રમાં કંબોડિયાઈ સૈનિકો પર હુમલો કર્યો. નિવેદન અનુસાર, કંબોડિયાએ વળતો હુમલો કર્યો નથી. થાઈલેન્ડ દ્વારા કરવામાં આવેલી અમાનવીય અને ક્રૂર કાર્યવાહીનો અમે સખત રીતે વિરોધ કરીએ છીએ, તેમ કંબોડિયાએ કહ્યું છે. થાઈલેન્ડ દ્વારા કરવામાં આવેલો આ હવાઈ હુમલો ૨૬ ઓક્ટોબરના રોજ થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે, એમ પણ કંબોડિયાએ કહ્યું છે.

૪૫ દિવસ પહેલા થયો હતો શાંતિ કરાર

બંને દેશો વચ્ચે જુલાઈ મહિનામાં સરહદ વિવાદ વકર્યો હતો. ત્યારબાદ પાંચ દિવસ યુદ્ધ ચાલ્યું. ત્યારબાદ મલેશિયન વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને ટ્રમ્પની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો. બંને નેતાઓએ ઓક્ટોબર મહિનામાં કુઆલાલમ્પુર ખાતે બંને દેશો વચ્ચે શાંતિ કરાર કરાવ્યો હતો. જુલાઈ મહિનામાં બંને દેશો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. બંને પાડોશીઓએ એકબીજા પર રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા ૪૮ લોકોના મોત થયા હતા. લગભગ ૩ લાખ લોકો અસ્થાયી સમય માટે વિસ્થાપિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : Imran Khan PTI: પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ: વિપક્ષી નેતાઓ એકજૂથ થતાં ઇમરાન ખાન હવે ક્યારેય સૂરજ નહીં જોઈ શકે!

ટ્રમ્પનો ‘યુદ્ધવિરામ મિશન’ પર દાવો

ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના અનેક દેશોમાં યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરે છે. ‘ઓપરેશન સિંદૂર’ વખતે તેમણે યુદ્ધવિરામ કરાવ્યાનો તેમનો દાવો છે. પરંતુ ભારતે આ ક્યારેય સ્વીકાર્યું નથી. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના તણાવનું મૂળ કારણ પ્રાચીન પ્રહ વિહાર મંદિરને લઈને ચાલતો સરહદી વિવાદ છે.

 

Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Trump Greenland Mission: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે અમેરિકાનું ‘શાંતિ સૂત્ર’ અને કેમ આ ટાપુ પર છે ટ્રમ્પની નજર’.
Exit mobile version