Site icon

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને મોટો ઝટકો, યુકેની અદાલતે સાતમી વખત જામીન અરજી નામંજૂર કરી… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

27 ઓક્ટોબર 2020

યુકેની એક અદાલતે સાતમી વખત ભાગેડુ ભારતીય હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે. નીરવ મોદી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડથી વધુની છેતરપિડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, સાથે તેને ભાગેડુ જાહેર કરાયો છે. તેણે તેના પ્રત્યાર્પણના ઓર્ડર સામે બ્રિટનની કોર્ટમાં પડકાર અરજી કરી હતી. 

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં યુકેની કોર્ટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી લંબાવી હતી. ગયા મહિને મોદીની કાનૂની સલાહકારે યુકેની એક કોર્ટને કહ્યું હતું કે, નીરવ મોદીના કેસના રાજકીયકરણના કારણે ભારતમાં આ કેસ નિષ્પક્ષ સુનાવણી થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવના છે અને તેઓ આત્મહત્યાના જોખમનો સામનો કરી શકે છે. 

આપને જણાવી દઈએ કે, લંડન પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તે લંડનની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને મોદીએ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.

UN Permanent Membership: શું ભારતને મળશે યુએનનું કાયમી સભ્યપદ? યુએનના પ્રવક્તાએ ભારતના વખાણમાં કહી આવી વાત
Donald Trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોએ વધારી આરોગ્ય નિષ્ણાતો ની ચિંતા, તથ્યો અને દાવાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો.
H-1B Visa: વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલ્સને પ્રમોશન! આ અમેરિકન કંપનીઓએ બનાવ્યા સીઇઓ
India-US Relations: વિદેશ મંત્રી જયશંકરને મળ્યા બાદ માર્કો રુબિઓનું મોટું નિવેદન,ભારત અને અમેરિકા ના સંબંધ પર કહી આવી વાત
Exit mobile version