US Comment on Kejriwal: જર્મની બાદ હવે કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની પ્રતિક્રિયા, કહ્યું- ન્યાય નિષ્પક્ષ અને પારદર્શક હોવો જોઈએ!

US Comment on Kejriwal: જર્મની બાદ અમેરિકાએ પણ દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે ભારતના અગ્રણી વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતના અગ્રણી વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહ્યા છીએ અને દેશમાં ન્યાયી કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.

by kalpana Verat
US Comment on Kejriwal US Says `Closely Following` Arvind Kejriwal`s Arrest, Advocates `Fair And Transparent` Legal Process

 News Continuous Bureau | Mumbai 

US Comment on Kejriwal:  જો બિડેન વહીવટીતંત્ર ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનું ટાળતું નથી. હાલમાં જ CAA પર ટિપ્પણી કર્યા બાદ હવે અમેરિકાએ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે અમે કેજરીવાલની ધરપકડ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. સાથે જ કેજરીવાલ માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની માંગ કરી છે. જર્મની બાદ અમેરિકા અરવિંદ કેજરીવાલના મુદ્દે ટિપ્પણી કરનાર બીજો દેશ બની ગયો છે.

 CAAને લઈને આપ્યું હતું નિવેદન 

રોયટર્સ સાથેની ખાસ વાતચીત દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે  કેજરીવાલ માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની માંગ કરીએ છીએ. જર્મની બાદ અમેરિકા અરવિંદ કેજરીવાલના મુદ્દે ટિપ્પણી કરનાર બીજો દેશ બની ગયો છે. આ મુદ્દા પહેલા વોશિંગ્ટન તરફથી પણ CAAને લઈને નિવેદન આવ્યું હતું. ત્યાંના પ્રવક્તાએ તે સમયે કહ્યું હતું કે અમે CAA પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ભારતમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા અમેરિકા દ્વારા દરેક મુદ્દે મુકવામાં આવતા અવરોધને દેશ માટે સારું માનવામાં આવતું નથી.

આતંરિક બાબતોમાં દખલ ન કરવાની સલાહ

અમેરિકા પહેલા દિલ્હીના સીએમની ધરપકડ પર જર્મનીથી પણ નિવેદન સામે આવ્યું હતું. જો કે ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. અને આતંરિક બાબતોમાં દખલ ન કરવાની સલાહ આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, અમે આવી ટિપ્પણીઓને ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડતી ગણીએ છીએ. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, ભારતના પોતાના કાયદા છે અને તે જીવંત મજબૂત લોકશાહી છે. જે રીતે ભારત અને અન્ય લોકશાહી દેશોમાં તમામ કેસોમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. તેવી જ રીતે, આ કેસમાં પણ કાયદો તેનો માર્ગ અપનાવશે. આ અંગે કરવામાં આવેલી તમામ પક્ષપાતી ધારણાઓ ખૂબ જ અયોગ્ય છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આ જિલ્લામાં મસ્જિદની દિવાલ પર જય શ્રી રામના નારા લખાયા, કેસ નોંધાયો, પોલીસ તપાસ શરુ.. જાણો વિગતે..

અરવિંદ કેજરીવાલની શા માટે ધરપકડ કરવામાં આવી?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની EDએ 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More