ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
જ્વાળામુખીના પગલે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ૮૬ દિવસ પહેલા જ્વાળામુખીમાંથી ફાટી નીકળેલી લાવામાંથી બચવા માટે ટાપુ પરના ૬,૦૦૦ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. પછી લાવાના કારણે ૩૦૦૦ ઘર બળીને રાખ થઈ ગયા. જ્વાળામુખીની રાખ ટાપુની પશ્ચિમ બાજુના લગભગ તમામ ઘરોને ઘેરી લીધી હતી.

કેનેરી ટાપુઓના મોટા ભાગને સ્પેનના લા પાલ્મામાં કમ્બ્રે વિએજા જ્વાળામુખીની રાખમાં ડટાઈ ગયો હતો.સ્પેનમાં જ્વાળામુખીએ હાહાકાર મચાવ્યો છે. સ્પેનના લા પાલ્માના કમ્બ્રે વિએજા જ્વાળામુખીની રાખમાં કેનેરી ટાપુઓનો મોટો ભાગ દબાઈ ગયો છે. અંદાજીત ત્રણ મહિના પછી હવે જ્યારે જ્વાળામુખીનો પ્રકોપ શમી ગયો છે.

૨૦૦ સ્પેનિશ સૈન્ય કર્મચારીઓએ ટાપુની ઇમારતો અને રાખમાં દટાયેલા મકાનોનો કાટમાળ સાફ કરવાનું શરૂ કર્યું છે. ટાપુ પર રહેતા ૮૦,૦૦૦ લોકોમાંથી ત્રીજા ભાગને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે સ્વચ્છતાના કારણે મોટા પાયે રાખના કણો પર્યાવરણમાં ભળી રહ્યા છે.
લો બોલો! આ દેશમાં લોકોના હસવા અને રડવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
