WHO Indian cough syrup: ભારતમાં નિર્મિત વધુ એક કફ સિરપ દૂષિત! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ જાહેર કર્યું એલર્ટ, બની શકે છે મૃત્યુનું કારણ..

WHO Indian cough syrup: વિદેશી મીડિયા અનુસાર, WHOએ સોમવારે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ફોર્ટ્સ (ઈન્ડિયા) લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત કફ સિરપને સબસ્ટાન્ડર્ડ ગણાવ્યું હતું. WHOએ કહ્યું કે આ પ્રોડક્ટ ડેબિલિયુ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ છે, જે ભારતમાં ઉત્પાદિત છે.

by Admin J
WHO issues substandard medicine alert in Iraq for India made cough syrup

News Continuous Bureau | Mumbai 

WHO Indian cough syrup: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં બનેલા અન્ય કફ સિરપને(Indian Cough Syrup) લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે ઈરાક(Iraq) માંથી ભારતીય સીરપને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 10 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ભારતીય બનાવટની દવાઓ પર પ્રતિબંધ(Ban) મૂકવામાં આવ્યો છે. WHOએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ઈરાકમાં ત્રીજા પક્ષે અમને ‘કોલ્ડ આઉટ’ કફ સિરપ વિશે જાણકારી આપી છે. આ કોલ્ડ આઉટ સીરપ (પેરાસીટામોલ અને ક્લોરફેનિરામાઇન મેલેટ) નબળી ગુણવત્તાવાળું અને સ્વાસ્થ્ય માટે જોખમી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ સીરપના ઉત્પાદક તમિલનાડુની Fourrts (INDIA) Laboratories Pvt Ltd કંપની છે. તેનું ઉત્પાદન એકમ મહારાષ્ટ્રમાં છે જેનું નામ છે Dabilife Pharma Private Limited. આ સીરપનો ઉપયોગ શરદીના લક્ષણો અને એલર્જીમાં(Allergy) રાહત માટે થાય છે.

આ સમાચાર પણ વાંચો : Monsoon Skin Care : ચોમાસામાં ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આ 3 માસ્ક ચહેરાને આપશે ઠંડક, માસ્ક બનાવવાની રીત છે સરળ..

શા માટે ભારતીય સીરપ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ

ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે ઇરાકમાં એક જગ્યાએથી કોલ્ડ આઉટ કફ સિરપ મંગાવીને લેબ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સેમ્પલમાં ડાયથેલીન ગ્લાયકોલનું પ્રમાણ વધુ હોવાનું જણાયું હતું, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક(harmful) છે. જેમાં તેનું પ્રમાણ 0.25 ટકા હતું. તે જ સમયે ઇથિલિન ગ્લાયકોલ પણ 2.1 ટકા જોવા મળ્યું હતું. આ બંને ગ્લાયકોલ મર્યાદાથી ઉપર છે. તેનો 0.10 ટકાથી વધુ ઉપયોગ કરી શકાતો નથી. ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ ઝેરી છે અને જો મોટી માત્રામાં પીવામાં આવે તો તે મૃત્યુનું કારણ બની શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઉઝબેકિસ્તાનના(Uzbekistan) ગામ્બિયામાંથી ભારતના કફ સિરપ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આના કારણે 70 થી વધુ બાળકોના મોત થયા છે. આ પછી આવો જ એક કિસ્સો કેમરૂનથી સામે આવ્યો છે. અમેરિકામાં, ભારતમાં બનાવેલા આઇ ડ્રોપ્સને કારણે ઘણા બાળકોને આંખમાં ચેપની ફરિયાદો મળી હતી. હવે WHOએ કહ્યું છે કે ઈરાકમાં જે પણ પ્રકારની કફ સિરપ મળી આવે છે તે નીચી અને સ્વાસ્થ્ય માટે જોખમી છે. તે ખાસ કરીને બાળકો માટે ખતરનાક છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More