Ramanavami Mela: રામ નવમી પર રામ મંદિરને 24 કલાક ખોલવા પર સંતો અસહમત, જણાવ્યું આ કારણ…

Ramanavami Mela: 9 એપ્રિલથી શરૂ થનારા રામ નવમી મેળામાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની આશા છે. આવી સ્થિતિમાં ભક્તો રામલલાના સતત દર્શન કરી શકે તે માટે મંદિરને 24 કલાક ખોલવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ રામ લલ્લાને ત્રણ દિવસ સુધી 24 કલાક જાગૃત રાખવાના પ્રશ્ન પર સંતો અસહમત છે. તેમણે કહ્યું છે કે કોઈપણ પૂજા પરંપરામાં મંદિર સતત ખોલવાનો કોઈ ઉલ્લેખ નથી.

by kalpana Verat
Ramanavami Mela Saints Disagree On Opening Ram Temple 24 Hours In Ayodhya On Ram Navami

News Continuous Bureau | Mumbai 

Ramanavami Mela: અયોધ્યા ( Ayodhya ) માં દર વર્ષે રામનવમી ( Ram Navami ) નો દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે આ દિવસ વધુ ખાસ બનવાનો છે કારણ કે 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિર ( Ram Mandir ) માં શ્રી રામ લાલાની સ્થાપના કરવામાં આવી છે.

રામ મંદિરને ત્રણ દિવસ સુધી 24 કલાક ખુલ્લું રાખવાના પ્રશ્ન પર સંતો અસહમત 

શ્રી રામ લલાના ભક્તોના ઉત્સાહને જોઈને 9 એપ્રિલથી શરૂ થનારા રામનવમી ( Ram Navami ) મેળામાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની આશા છે. આવી સ્થિતિમાં ભક્તો રામલલાના સતત દર્શન કરી શકે તે માટે મંદિરને 24 કલાક ખોલવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ રામ મંદિરને ત્રણ દિવસ સુધી 24 કલાક ખુલ્લું રાખવાના પ્રશ્ન પર સંતો ( Saint ) અસહમત  ( Disagree ) છે. તેમણે કહ્યું છે કે કોઈપણ પૂજા પરંપરામાં મંદિર સતત ખુલ્લું રાખવાનો કોઈ ઉલ્લેખ નથી. તે જ સમયે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે કે રામ નવમી દરમિયાન ત્રણ દિવસ મંદિર સતત 24 કલાક ખોલવા અંગે સંતો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Vistara Crisis: આ એરલાઇન્સની વધુ 70 ફ્લાઈટ્સ થઇ શકે છે કેન્સલ, મુસાફરોને થશે હેરાનગતિ ;જાણો કારણ..

મંદિરને  24 કલાક ખોલવાની યોજના પર થઇ રહી છે ચર્ચા

મહત્વનું છે કે 9 એપ્રિલથી રામ નવમીનો મેળો શરૂ થઈ રહ્યો છે. અયોધ્યામાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. ભીડના હિસાબે ભક્તોને રામલલાના સતત દર્શન કરાવવાના ઉદ્દેશ્ય સાથે મંદિરને 24 કલાક ખોલવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં મંદિર 14 કલાક ખુલ્લું રહે છે. રામલલાના દરબારમાં દરરોજ દોઢથી બે લાખ ભક્તો આવે છે. જિલ્લા પ્રશાસને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અષ્ટમી, નવમી અને દશમી તિથિ પર રામ મંદિર 24 કલાક ખોલવાની અપીલ કરી છે. ટ્રસ્ટ સંતો પાસેથી સલાહ લઈ રહ્યું છે. મંદિરને 24 કલાક ખોલવા અંગે સંતોએ અસહમતિ વ્યક્ત કરી છે.

સંતો કહે છે કે રામલલાને સૂવા ન દેવા એ શાસ્ત્રો પ્રમાણે યોગ્ય નથી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ( Champat rai )  પણ કહ્યું છે કે રામલલા પાંચ વર્ષના છોકરાના રૂપમાં હાજર છે. તેમને 24 કલાક જાગતા રાખવા યોગ્ય નથી. ચર્ચા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More