Sharad Purnima 2024: આજે છે શરદ પૂર્ણિમા.. આજના દિવસે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે ખીર; જાણો મહત્વ અને પૂજા વિધિ..   

Sharad Purnima 2024: આ વર્ષે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 16 ઓક્ટોબરે એટલે કે આજે ઉજવવામાં આવશે. આ દિવસે ખીર બનાવવાની પણ પરંપરા છે. આ ખીરને રાતભર ચાંદનીમાં રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદનીમાં રાતભર ખીર રાખવાથી તે અમૃત સમાન બની જાય છે અને આ ખીરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

by kalpana Verat
Sharad Purnima 2024 Sharad Purnima 2024 Date When is Sharad Purnima - October 16 or 17 Know rituals, fasting rules, puja vidhi, and more

News Continuous Bureau | Mumbai

Sharad Purnima 2024:  દર વર્ષે, શરદ પૂર્ણિમા નો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાની તારીખને લઈને મૂંઝવણ છે. શરદ પૂર્ણિમા 16મી ઓક્ટોબરે છે કે 17મી ઓક્ટોબરે?  આ વર્ષે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 16 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાન કરીને પછી દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચાંદનીમાં રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃતના ટીપાં પડે છે, જેના કારણે ખીર ઔષધીય ગુણોવાળી બની જાય છે, જે ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. 

Sharad Purnima 2024: આજે છે  શરદ પૂર્ણિમા

આ વર્ષે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 16 ઓક્ટોબરે એટલે કે આજે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તેને આરોગ્યનો તહેવાર પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ચંદ્ર  સોળે કળાએ ખીલે જાય છે અને આખી રાત તેના કિરણોથી અમૃત વરસાવે છે. શારદીય નવરાત્રી પછી શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આવે છે. આ કારણથી પણ શરદ પૂર્ણિમા વિશેષ મહત્વ ધરાવે છે. 

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા 2024 તારીખ અને શુભ સમય-

પંચાંગ અનુસાર, આ વર્ષે શરદ પૂર્ણિમા માટે અશ્વિન શુક્લ પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબરે રાત્રે 8:40 વાગ્યે શરૂ થશે. આ તારીખ 17 ઓક્ટોબરે સાંજે 4:55 કલાકે પૂરી થશે. જો ઉદયતિથિના આધારે જોવામાં આવે તો અશ્વિન પૂર્ણિમા 17 ઓક્ટોબરે છે. પરંતુ શરદ પૂર્ણિમા માટે અશ્વિન પૂર્ણિમા તિથિ પર ચંદ્ર હોવો જરૂરી છે. આ સ્થિતિમાં જોવામાં આવે તો 17 ઓક્ટોબરની સાંજે અશ્વિન પૂર્ણિમા તિથિ પૂરી થઈ રહી છે. 16 ઓક્ટોબરે અશ્વિન પૂર્ણિમા તિથિના રોજ ચંદ્રોદય થશે અને ચંદ્ર આખી રાત રહેશે. આવી સ્થિતિમાં આ વર્ષે શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબર બુધવારે છે. આ તેની સાચી તારીખ છે.

આ સમાચાર પણ વાંચો:  Falguni Pathak Navratri Garba : ગરબા ઘેલાને કાંઈ ન નડે… મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પણ ફાલ્ગુની પાઠકએ બોલાવી રમઝટ, ખેલૈયા ઘૂમ્યા ગરબા, જુઓ વીડિયો

Sharad Purnima 2024:  શરદ પૂર્ણિમા 2024 પર ખીર રાખવાનો સમય

રેવતી નક્ષત્ર શરદ પૂર્ણિમાના રોજ સાંજે 7.18 વાગ્યાથી શરૂ થાય છે. રેવતી નક્ષત્રને શુભ માનવામાં આવે છે. તમે શરદ પૂર્ણિમા ખીર સાંજે 7.18 વાગ્યા પછી રાખી શકો છો. જો કે, શરદ પૂર્ણિમાની રાત્રે, જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે દેખાય છે અને તેના કિરણો તમારા સુધી પહોંચવાનું શરૂ થાય છે. પછી તમે ખીર બનાવી લો અને તેને ખુલ્લામાં રાખો.

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમાની પૂજા વિધિ –

શરદ પૂર્ણિમાના દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરવું. ઘરના મંદિરની સફાઈ કર્યા પછી દેવી લક્ષ્મી અને શ્રી હરિની પૂજાની તૈયારી કરો. આ માટે બાજોઠ પર લાલ કે પીળા રંગનું કપડું પાથરો. તેના પર દેવી લક્ષ્મી અને વિષ્ણુની મૂર્તિઓ સ્થાપિત કરો. શરદ પૂર્ણિમાએ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તેમના આઠ સ્વરૂપો છે, જેમાં ધનલક્ષ્મી, ધન્યલક્ષ્મી, રાજ લક્ષ્મી, વૈભવ લક્ષ્મી, ઐશ્વર્યા લક્ષ્મી, સંતન લક્ષ્મી, કમલા લક્ષ્મી અને વિજય લક્ષ્મીનો સમાવેશ થાય છે.

 

  

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More