2.5K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
લાભ પાંચમને ભારતમાં દીપાવલી(Diwali)ના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ (Labh Pancham 2023) 18 નવેમ્બર શનિવારના રોજ ઉજવાય છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. બિજનેસ કરનારા લોકો આ દિવસે પણ શુભ મુહુર્ત(Shubh muharat)માં તેમના વેપાર કે ધંધાના મુહુર્ત કરે છે. આ તારીખ સુખ અને સમૃદ્ધિને વધે છે, પ્રગતિ થાય છે.
શુભ મુહુર્ત
કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ(Panchmi TiThi) 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.
પૂજા મુહૂર્ત
સવારે – 06:45 am – 10:19 am
અવધિ – 3 કલાક 34 મિનિટ
લાભ પાંચમનું મહત્વ
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા(Ganesha puja) કરવાથી વેપારમાં ઇચ્છિત લાભ(Labh) મળે છે. અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ-શાંતિ રહે છે. લાભ પાંચમ(Labh Pancham) પર દીપાવલી પર પૂજા કર્યા પછી, શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન ગણેશનું સ્મરણ કરીને હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચોઃ Bal Thackeray Death Anniversary: વાંચો, બાલ ઠાકરેના જીવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો વિશે