Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચા “જન આંદોલન”માં પરિવર્તિત થયું, 8મી આવૃત્તિ માટે થયું 3.56 કરોડ રજીસ્ટ્રેશન..

Pariksha Pe Charcha 2025: 5 કરોડથી વધુ સહભાગીઓ સાથે એક ઐતિહાસિક સીમાચિહ્ન, જેમાં 3.56 કરોડ નોંધણીઓ અને 1.55 કરોડ રાષ્ટ્રવ્યાપી 'જન આંદોલન' પ્રવૃત્તિઓમાં સામેલ થયા

by Akash Rajbhar
Exam discussion transformed into people's movement, 3.56 crore registered for the 8th edition.

News Continuous Bureau | Mumbai

  • ભારત હૈ હમ શ્રેણી પર ક્વિઝ સ્પર્ધા યોજાઈ

Pariksha Pe Charcha 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા સાથે સંબંધિત તણાવને શિક્ષણના ઉત્સવમાં પરિવર્તિત કરવાની પહેલ કરી હતી. જેમાં પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની  આઠમી આવૃત્તિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી. 2018માં તેની શરૂઆતથી, પીપીસી રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે વિકસિત થઈ છે, જેણે 2025માં તેની 8 મી આવૃત્તિ માટે 3.56 કરોડ નોંધણીઓ મેળવી છે. આ સાથે જ 7મી આવૃત્તિ કરતાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં 2.26 કરોડ રજિસ્ટ્રેશન જોવા મળ્યા હતા, જે 1.3 કરોડ રજિસ્ટ્રેશનના નોંધપાત્ર ઉછાળાને પ્રતિબિંબિત કરે છે.

પરીક્ષા પે ચર્ચા માત્ર એક લોકપ્રિય કાર્યક્રમ જ નહીં, પરંતુ તે “જન આંદોલન”માં પણ પરિવર્તિત થઈ ગયુ છે. જે દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઊંડાણપૂર્વક ગુંજી રહી છે. આ પહેલનું ધ્યાન પરીક્ષાના તણાવને દૂર કરવા અને વિદ્યાર્થીઓને પરીક્ષાને એક તહેવાર – “ઉત્સવ” તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત છે.  જેણે જીવનના દરેક ક્ષેત્રના લોકો સાથે તાલ મેળવ્યો છે. પીપીસીમાં જબરજસ્ત ભાગીદારી વધતી જાગૃતિ અને માનસિક સુખાકારી અને સર્વગ્રાહી શિક્ષણના મહત્વ અંગેની સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. કાર્યક્રમનું ઇન્ટરેક્ટિવ ફોર્મેટ, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રધાનમંત્રી વચ્ચે ખુલ્લા સંવાદનો સમાવેશ થાય છે, તેણે તેની સફળતામાં વધુ યોગદાન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો :BIS Raid: હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરનનું ઇ-કોમર્સ નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા

પીપીસીને “જન આંદોલન” તરીકે વધુ મજબૂત બનાવવા માટે, શાળા સ્તરે 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ) થી 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી) સુધી આકર્ષક પ્રવૃત્તિઓની એક શ્રેણી યોજવામાં આવી હતી. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવેલી આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પીપીસીને ઉત્સવ તરીકે ઉજવવામાં સામેલ કરવાનો હતો. કુલ 1.42 કરોડ વિદ્યાર્થીઓ, 12.81 લાખ શિક્ષકો અને 2.94 લાખ શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓ તણાવ ઘટાડવા, ધ્યાન કેન્દ્રિત કરવા અને પરીક્ષા દરમિયાન અને તેનાથી આગળના દેખાવને વધારવા માટે બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતો, ટૂંકા અંતરની મેરેથોન, સર્જનાત્મક મીમ સ્પર્ધાઓ, નુક્કડ નાટકનું આકર્ષક પ્રદર્શન અને આકર્ષક પોસ્ટર-મેકિંગનો સમાવેશ થાય છે. તેમને વિદ્યાર્થીઓના પ્રશંસાપત્રો દ્વારા તેમના અનુભવો વહેંચવા, વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની ચર્ચાઓમાં ભાગ લેવા અને આરામ અને માઇન્ડફુલનેસ કેળવવા યોગ અને ધ્યાન સત્રોમાં જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાઓએ વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા નાટકોનું આયોજન કર્યું હતું, વર્કશોપનું આયોજન કર્યું હતું અને ખાસ મહેમાનોને તેમની આંતરદૃષ્ટિ વહેંચવા આમંત્રણ આપ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015Y0S.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020O3J.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032CHI.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046V77.jpg

આ પ્રવૃત્તિઓને અંતે, શૌર્ય અને બલિદાનની ગૌરવપૂર્ણ પ્રેરણાદાયી વાર્તાઓનું સ્ક્રીનિંગ, “ભારત હૈ હમ” શ્રેણી 23 જાન્યુઆરી 2025 ના રોજ યોજવામાં આવી હતી. ત્યારબાદ દેશભરમાં 567 કેન્દ્રીય વિદ્યાલયોમાં “ભારત હૈ હમ” શ્રેણી આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલયોના 17,408, જવાહર નવોદય વિદ્યાલયોના 4,567, પીએમ શ્રી શાળાઓના 5,542, સીબીએસઈ સંલગ્ન શાળાઓના 18,394 અને રાજ્ય બોર્ડની શાળાઓના 10,050 સહિત કુલ 55,961 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા અને તમામ સહભાગીઓને ભારતના વડા પ્રધાન દ્વારા લખાયેલા પુસ્તક “એક્ઝામ વોરિયર્સ”ની એક નકલ મળી હતી. આ પહેલથી માત્ર વિદ્યાર્થીઓના જ્ઞાનની જ કસોટી થઈ ન હતી, પરંતુ “ભારત હૈં હમ” શ્રેણી દ્વારા આપવામાં આવતા મૂલ્યવાન પાઠોને પણ મજબુત બનાવવામાં આવ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005IV6F.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006TUW7.jpg

પરીક્ષા પે ચર્ચા 2025 એ ફરી એક વખત એક ધમાકેદાર સફળતા સાબિત થઈ છે, જેણે ભારતભરના વિદ્યાર્થીઓ માટે સકારાત્મક અને સહાયક શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકેની તેની સ્થિતિને મજબૂત કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More