News Continuous Bureau | Mumbai
Vitamin Deficiency Cause Itching। શરીરના કોઈ અંગ પર સામાન્ય ખંજવાળ આવવી એ સામાન્ય બાબત છે, પરંતુ જો આ ખંજવાળ તમારી રાતોની ઊંઘ હરામ કરી દે અને અસહ્ય બની જાય, તો તે ગંભીર ચિંતાનો વિષય છે. ખંજવાળ માત્ર ત્વચાની બાહ્ય સમસ્યા નથી, પરંતુ તે શરીરની અંદર છુપાયેલી કોઈ બીમારી અથવા પોષક તત્વોની ઉણપનો સંકેત હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, શરીરમાં ખાસ વિટામિન્સની ઉણપને કારણે પણ ત્વચા પર સતત ખંજવાળ આવી શકે છે.
કયા વિટામિનની ઉણપથી થાય છે ખંજવાળ?
આયુર્વેદિક નિષ્ણાતોના મતે, શરીરમાં વિટામિન A ની ઉણપ ખંજવાળનું મુખ્ય કારણ બની શકે છે. વિટામિન A ઘટવાથી ત્વચા અત્યંત સૂકી (Dry) થઈ જાય છે, જેના કારણે ખંજવાળ વધે છે. આ ઉપરાંત, વિટામિન B12 ની ઉણપથી પણ હાથ-પગમાં ખંજવાળ અને રેશિઝ થઈ શકે છે. વિટામિન B3 (નિયાસિન) ઘટવાને કારણે ત્વચા પર રેશિઝ અને ઘા થવાની શક્યતા રહે છે. વિટામિન E અને C ની ઉણપ પણ પરોક્ષ રીતે ત્વચાની આ સમસ્યામાં ભાગ ભજવે છે.
ખંજવાળ આવવાના અન્ય કારણો
ખંજવાળ હંમેશા વિટામિનની ઉણપને કારણે જ હોય તેવું જરૂરી નથી. ઘણીવાર લિવર ફંક્શનમાં ખરાબી અથવા લિવરમાં બાઈલ્સ (Biles) ના અસંતુલનને કારણે પણ ખંજવાળ વધી શકે છે. આ સિવાય કોઈ ખાસ વસ્તુની એલર્જી, પરસેવો અથવા ત્વચામાં રહેલી વધુ પડતી ડ્રાયનેસને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે.
તાત્કાલિક રાહત મેળવવાના ઉપાયો
કેલેમાઈન લોશન: વધુ પડતી ખંજવાળ આવતી હોય તો ત્વચા પર કેલેમાઈન લોશન લગાવો, તેનાથી ઠંડક મળે છે.
આઈસ પેક: ખંજવાળવાળા ભાગ પર બરફનો શેક કરવાથી સોજો અને લાલાશ ઓછી થાય છે.
તેલનો ઉપયોગ: નાળિયેરનું તેલ, લેવેન્ડર અથવા પેપરમિન્ટ ઓઈલ લગાવવાથી ત્વચાની બળતરા શાંત થાય છે અને તેમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો રાહત આપે છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Minor Kidnapping Case। મુંબઈની સગીરાનું અપહરણ કરી બિહારમાં બળજબરીથી લગ્ન કરાવ્યા પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી
