328
શામળાજી બાદ અંબાજી મંદિરમા પણ ટુંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે.
અંબાજી મંદિર ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. શોર્ટ કપડાં પહેરી આવેલા દર્શનાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પુરુષો માટે ધોતી અને પીતામ્બર તેમજ મહિલાઓ માટે સલવાર જેવા વસ્ત્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવા વિનતી કરાઈ છે અને મંદિરના પ્રવેશ દ્રાર પર બોર્ડ લગાવાયા છે.
Join Our WhatsApp Community
