Site icon News Continuous Bureau | Mumbai

Badrinath Dham: જાણો કેમ બદ્રીનાથ ધામ માં કૂતરાઓ નથી ભસતા,શું છે તેનું રહસ્ય અને પ્રાકૃતિક નિયમો!

Badrinath Dham: ચાર ધામોમાંથી એક બદ્રીનાથ મંદિર કોઈ ચમત્કાર કે રહસ્યથી ઓછું નથી. અહીં ભગવાન વિષ્ણુ ધ્યાનમુદ્રામાં બિરાજમાન છે, અને માન્યતા છે કે આ જ કારણે કુદરત પણ શાંત રહે છે.

badrinath Dham જાણો કેમ બદ્રીનાથ ધામ માં કૂતરાઓ નથી ભસતા,શું છે તેનું રહસ્ય અને પ્રાકૃતિક નિયમો!

badrinath Dham જાણો કેમ બદ્રીનાથ ધામ માં કૂતરાઓ નથી ભસતા,શું છે તેનું રહસ્ય અને પ્રાકૃતિક નિયમો!

News Continuous Bureau | Mumbai

Badrinath Dham ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે બદ્રીનાથ ધામ આવેલું છે. આ ભારત નું સૌથી પવિત્ર અને મુખ્ય તીર્થ સ્થળોમાંથી એક છે. તેને ચારધામ અને નાના ચારધામ એટલે કે હિમાલયન ચારધામ બંને યાત્રાઓમાં સામેલ કરવામાં આવે છે. બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ અહીં બદરી વૃક્ષ નીચે તપસ્યા કરી હતી, તેથી આ સ્થળનું નામ બદ્રીનાથ પડ્યું.

Join Our WhatsApp Channel

બદ્રીનાથ ધામનું સૌથી મોટું રહસ્ય

તમને જાણીને આશ્ચર્ય થશે કે બદ્રીનાથ ધામમાં કોઈ પણ કૂતરો ભસતો જોવા મળતો નથી. માત્ર કૂતરા જ નહીં, પરંતુ અહીં આકાશી વીજળી ચમકશે પણ તેનો અવાજ સંભળાશે નહીં, અને વાદળો વરસશે પણ ગર્જના કરશે નહીં. આની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. માન્યતા છે કે બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ ધ્યાનમુદ્રામાં બિરાજમાન છે અને પ્રકૃતિથી લઈને પ્રાણીઓ સુધી દરેક જણ તેમની તપસ્યામાં સાથ આપી રહ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પાસેથી પણ આવી જ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પ્રકૃતિને સહયોગ આપે.

મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

બદ્રીનાથ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ 3 હજાર મીટરથી વધુની ઊંચાઈ પર સ્થિત છે. મંદિરની વાસ્તુકલા નાગર શૈલી પર આધારિત છે. ગર્ભગૃહની અંદર ભગવાન વિષ્ણુની શાલિગ્રામ શિલાથી બનેલી કાળા પથ્થરની મૂર્તિ બિરાજમાન છે, જેને બદ્રીનાથ કહેવામાં આવે છે. આ મૂર્તિ પદ્માસનમાં છે અને ચાર ભુજાવાળા વિષ્ણુના રૂપને દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ

શ્રદ્ધાળુઓ માટે શું છે સંદેશ?

જેમ કુદરત અને પ્રાણીઓ ભગવાન વિષ્ણુની તપસ્યાનું સન્માન કરે છે, તેવી જ રીતે શ્રદ્ધાળુઓએ પણ મંદિર પરિસરમાં શાંતિ અને સન્માન જાળવવું જોઈએ. આ સ્થળની આધ્યાત્મિક ઊર્જા એટલી શક્તિશાળી છે કે કુદરતી રીતે જ અહીં બધું શાંત રહે છે. બદ્રીનાથ ધામની મુલાકાત લેનાર દરેક વ્યક્તિને આ અદ્ભુત પ્રાકૃતિક નિયમોનો અનુભવ થાય છે, જે અહીંના ધાર્મિક વાતાવરણની ગહેરાઈ દર્શાવે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Full Moon। મે 2026 માં બેવડો પૂર્ણિમા યોગ જ્યોતિષીય દ્રષ્ટિએ આ મહિનો રહેશે અત્યંત ખાસ
Astrology| મે મહિનામાં બનશે વિશેષ ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ આ 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version