November: નવેમ્બર મહિનામાં બે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ, પ્રથમ રહેશે ખૂબ જ ખાસ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા સમય વિશે!

November: આ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળી પહેલા આવનાર પ્રદોષ વ્રતને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે ધનતેરસ અને શુક્રવારનો સંયોગ છે. જણાવી દઈએ કે, શુક્રવારે આવતી ત્રયોદશી તિથિને શુક્ર પ્રદોષ વ્રત તરીકે ઓળખાય છે.

by Hiral Meria
Coincidence of two Shukra Pradosh Vrats in the month of November, the first one will be very special

News Continuous Bureau | Mumbai

November: આ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળી પહેલા આવનાર પ્રદોષ વ્રતને ( Pradosh Vrat ) ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે ધનતેરસ ( Dhanteras ) અને શુક્રવારનો સંયોગ છે. જણાવી દઈએ કે, શુક્રવારે આવતી ત્રયોદશી તિથિને શુક્ર પ્રદોષ વ્રત તરીકે ઓળખાય છે. શુક્ર પ્રદોષ વ્રત ( Shukra Pradosh Vrat ) સુખ, શાંતિ, સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની ( Lord Shiva ) પૂજા કરવાથી માત્ર ભગવાન શંકર અને માતા પાર્વતીની ( Goddess Parvati ) જ નહીં પરંતુ, દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

કાર્તિક શુક્ર પ્રદોષ વ્રત, 2023

કાર્તિક અને નવેમ્બર મહિનાનો પ્રથમ શુક્ર પ્રદોષ વ્રત 10 નવેમ્બર-2023ના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે ધનતેરસનો તહેવાર પણ આવી રહ્યો છે. આ વખતે કારતક મહિનામાં બે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીજી વ્રત કરનાર ભક્ત પર કૃપા વરસાવશે. કારતક માસના શુક્લ પક્ષનું બીજું શુક્ર પ્રદોષ વ્રત 24 નવેમ્બર 2023ના રોજ છે.

પ્રથમ શુક્ર પ્રદોષ વ્રતના મુહૂર્ત, પૂજા સમય

પંચાંગ અનુસાર, કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 10 નવેમ્બર 2023ના રોજ બપોરે 12.35 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 11 નવેમ્બરે બપોરે 01.57 વાગ્યે સમાપ્ત થશે. સામાન્ય રીતે પ્રદોષ વ્રત પૂજા સાંજે કરવામાં આવે છે, તેથી તેમાં પ્રદોષ કાલ મુહૂર્ત મનાવવામાં આવે છે. પૂજાનો સમય-સાંજે 05.30-08.08 પીએમ (10 નવેમ્બર 2023) રહેશે.

આ સમાચાર પણ વાંચો : Dev uthani Ekadashi: આ દિવસે છે દેવઉઠી એકાદશી! જાણો પૂજાનો સમય, વિધિ અને મહત્ત્વ વિશે

બીજા શુક્ર પ્રદોષ વ્રતના મુહૂર્ત અને પૂજા સમય

પંચાંગ અનુસાર, કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 24 નવેમ્બર-2023ના રોજ સાંજે 07.06 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 25 નવેમ્બર 2023ના રોજ સાંજે 05.22 વાગ્યે સમાપ્ત થશે. પૂજા સમય સાંજે 07.06થી 08.06 સુધી રહેશે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More