Site icon News Continuous Bureau | Mumbai

Rohini Vrat on 24th June: જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે રોહિણી વ્રત, જાણો 24 જૂનના રોજ આવતા આ વ્રત નું શુભ મુહૂર્ત અને નક્ષત્ર

Rohini Vrat on 24th June: રોહિણી વ્રત ભગવાન વાસુપૂજ્ય સ્વામી ને સમર્પિત છે, જે સુખ અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે

Rohini Vrat on 24th June A Sacred Jain Observance for Prosperity and Peace

Rohini Vrat on 24th June A Sacred Jain Observance for Prosperity and Peace

News Continuous Bureau | Mumbai

Rohini Vrat on 24th June: આ વર્ષે 2025માં રોહિણી વ્રત 24 જૂન, મંગળવારના રોજ મનાવવામાં આવશે. આ પવિત્ર વ્રત જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. રોહિણી નક્ષત્ર ના ઉદય સમયે આ વ્રત રાખવામાં આવે છે અને તે દર મહિને આવે છે. આ રીતે વર્ષમાં કુલ 12 રોહિણી વ્રત થાય છે. આ દિવસે ભગવાન વાસુપૂજ્ય સ્વામી  ની પૂજા કરીને વ્રતી સુખ, સમૃદ્ધિ અને મનચાહા વરદાન પ્રાપ્ત કરે છે.

Join Our WhatsApp Channel

Rohini Vrat on 24th June:રોહિણી વ્રત નું શુભ મુહૂર્ત અને નક્ષત્ર

આ વર્ષે 24 જૂનના રોજ રોહિણી નક્ષત્ર બપોરે 12:54 સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:04 થી 4:44 સુધી રહેશે, જે સ્નાન અને દાન માટે શ્રેષ્ઠ સમય છે. પૂજા માટે અભિજીત મુહૂર્ત સવારે 11:33 થી બપોરે 12:28 સુધી રહેશે. અમૃત કાળ સવારે 10:01 થી 11:27 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:18 થી 3:12 સુધી રહેશે. સાંજના ગોધૂળી મુહૂર્ત 6:51 થી 7:11 સુધી રહેશે, જેમાં ચંદ્રદેવની  પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Rahu Mahadasha: રાહુ મહાદશા, આ રાશિઓ માટે બની શકે છે ભાગ્યોદયનો સમય, ધન અને સફળતા નો થશે વરસાદ

Rohini Vrat on 24th June: રોહિણી વ્રત (Rohini Vrat)નું ધાર્મિક મહત્વ

રોહિણી વ્રત જૈન સમાજ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ વ્રત ત્રણ, પાંચ અથવા સાત વર્ષ સુધી સતત રાખવામાં આવે છે. સ્ત્રીઓ આ વ્રત પતિના દીર્ઘાયુ અને ઘરના સુખ-શાંતિ માટે રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વ્રતથી આત્માના વિકાર દૂર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થાય છે.

Rohini Vrat on 24th June: પૂજા વિધિ અને ફળ

રોહિણી વ્રત ના દિવસે ભગવાન વાસુપૂજ્ય સ્વામી ની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવ ને અર્ઘ્ય આપીને રોહિણી સકટ ભેદન સ્તોત્રનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખનારને દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version