Site icon News Continuous Bureau | Mumbai

દર વર્ષે નવરાત્રિ દરમિયાન અલગ-અલગ વાહન ની સવારી પર આવે છે માતા રાણી-જાણો કઈ સવારી શું સંકેત આપે છે

News Continuous Bureau | Mumbai

આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જે 5 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિના(Navratri) નવ દિવસો દરમિયાન, મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Jyotish shastra)અનુસાર આ વખતે શારદીય નવરાત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ વખતે માતા રાણી હાથી(elephant) પર સવાર થઈને આવી રહ્યા છે. નવરાત્રિમાં જ્યારે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે તે ખૂબ જ શુભ(lucky) માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ માતા રાણીના વિવિધ વાહનો અને નવરાત્રિમાં તેમના શુભ અને અશુભ સંકેતો વિશે.

Join Our WhatsApp Channel

આમ તો માતા રાણી સિંહની(lion) સવારી કરે છે, પરંતુ જ્યારે તે નવરાત્રિ દરમિયાન પૃથ્વી પર આવે છે ત્યારે તેની સવારી બદલાઈ જાય છે. મા જગદંબાની સવારી નવરાત્રિ શરૂ થાય તે દિવસે નિર્ભર કરે છે. નવરાત્રિ કયા દિવસે શરૂ થાય છે તેના આધારે તેમની સવારી નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે, પ્રસ્થાનની સવારી તે જે દિવસે પ્રસ્થાન કરે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.આ વખતે શારદીય નવરાત્રી સોમવારથી(monday) શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ રવિવાર અથવા સોમવારથી નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. હાથી, માતાનું વાહન, જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હાથી પર સવાર થઈને દેવી દુર્ગા પોતાની સાથે ઘણી બધી ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે.

માન્યતા અનુસાર બુધવાર અને શુક્રવારના દિવસે માતા રાની ની સવારી હાથીની(elephant) હોય છે. જ્યારે માતા રાણી હાથી પર બેસીને નીકળે છે ત્યારે દેશમાં વધુ વરસાદની સંભાવના હોય છે. જુદા જુદા સમય પ્રમાણે નવરાત્રિમાં માતા દુર્ગાના વાહનો ડોળી, હોડી, ઘોડો, ભેંસ, માણસ અને હાથી હોય છે.માન્યતા અનુસાર જો સોમવાર અથવા રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતાનું વાહન હાથી હોય છે જે વધુ વરસાદનું સૂચન કરે છે. બીજી તરફ જો મંગળવાર અને શનિવારે નવરાત્રિ શરૂ થાય તો માતાનું વાહન ઘોડો(horse) હોય છે, જે શક્તિ પરિવર્તનનો સંકેત આપે છે.આ ઉપરાંત, ગુરુવાર અથવા શુક્રવારે, માતા દુર્ગા ડોળીમાં બેસીને આવે છે, જે રક્તપાત, તાંડવ, જાહેર અને ધનની હાનિ સૂચવે છે. બીજી તરફ, બુધવારથી નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા હોડી(boat) પર આવે છે અને તેના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

આ સમાચાર પણ વાંચો : એક મહિના સુધી કન્યા રાશિમાં રહેશે ગ્રહોના રાજા, આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, વાંચો જન્માક્ષર

જો નવરાત્રિ રવિવાર અને સોમવારે સમાપ્ત થઈ રહી હોય, તો મા દુર્ગા ભેંસ(buffalo) પર સવાર થઇ ને જાય છે. મતલબ કે દેશમાં શોક અને રોગો વધશે. બીજી તરફ શનિવાર અને મંગળવારે નવરાત્રિ પૂરી થાય ત્યારે માતા જગદંબે કૂકડા પર સવાર થઇ ને જાય છે. કુકડા પર સવારી કરવી એ દુઃખ અને વેદનામાં વધારો સૂચવે છે.જ્યારે નવરાત્રિ બુધવાર અને શુક્રવારે સમાપ્ત થાય, ત્યારે માતા હાથી પર જ સવાર થઇ ને પાછા ફરે છે, જે વધુ વરસાદ સૂચવે છે. આ સિવાય જો ગુરુવારે નવરાત્રિ સમાપ્ત થઈ રહી હોય, તો મા દુર્ગા મનુષ્ય પર સવાર થાય છે જે સુખ અને શાંતિની વૃદ્ધિ સૂચવે છે.

 

Astro Tips। શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પૂજામાંથી અત્યારે જ હટાવી દો તાંબાના વાસણો, આ ધાતુ છે શ્રેષ્ઠ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Astro Update।આજથી કઈ ૫ રાશિઓનું ભાગ્ય પલટાશે? મહાસંયોગના કારણે નોકરીધંધામાં થશે અણધાર્યો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version