Site icon

Surya Gochar 2025 : ગ્રહોના રાજા સૂર્ય આજે કર્ક રાશિમાં કરશે પ્રવેશ, આ રાશિ પરિવર્તનની તમારા પર શું અસર થશે? જાણો..

Surya Gochar 2025 :16 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જાણો કઈ રાશિઓને મળશે લાભ અને કોને રહેશે સાવચેતીની જરૂર

Surya Gochar 2025 Surya Gochar 2025 These 4 zodiac signs will be lucky during Sun Transit in Cancer

Surya Gochar 2025 Surya Gochar 2025 These 4 zodiac signs will be lucky during Sun Transit in Cancer

News Continuous Bureau | Mumbai

Surya Gochar 2025 : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે, અને તેનું રાશિ પરિવર્તન એટલે કે સૂર્ય ગોચર દરેક રાશિના જાતકોના જીવન પર ઊંડી અસર કરે છે. જુલાઈ 2025 માં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેની કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે પડકારજનક અસરો જોવા મળશે. ચાલો વિગતવાર જાણીએ સૂર્ય ગોચરનું મહત્વ અને તેની તમારી રાશિ પર થતી અસરો.

Join Our WhatsApp Community

 Surya Gochar 2025 : સૂર્ય ગોચર શું છે અને તેનું જ્યોતિષીય મહત્વ

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય ને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તે આત્મા, પિતા, સત્તા, નેતૃત્વ, આત્મવિશ્વાસ, સન્માન અને સ્વાસ્થ્યનો કારક ગ્રહ છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, અને આ પ્રક્રિયાને સૂર્ય ગોચર કહેવામાં આવે છે. સૂર્યને એક રાશિચક્ર પૂર્ણ કરતા લગભગ 12 મહિના (એક વર્ષ) લાગે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળે છે, જે જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે કરિયર, આર્થિક સ્થિતિ, સંબંધો અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

જ્યારે સૂર્ય કોઈ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે રાશિના ગુણધર્મો અને સૂર્યના પ્રભાવનું મિશ્રણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો સૂર્ય ઉચ્ચ સ્થાનમાં હોય અથવા તેની મિત્ર રાશિમાં હોય, તો તે શુભ ફળ આપે છે. જ્યારે શત્રુ રાશિમાં કે નીચના સ્થાનમાં હોય, તો તેના પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે.

 Surya Gochar 2025 : જુલાઈ 2025 માં સૂર્ય ગોચરની વિગતવાર માહિતી

જુલાઈ 2025 માં, સૂર્ય ગ્રહ 16 જુલાઈ, 2025 ના રોજ સાંજે 5:17 વાગ્યે ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ હોવાથી, સૂર્યનું કર્ક રાશિમાં ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપે છે. જોકે, તેની અસર દરેક રાશિ પર ભિન્ન ભિન્ન રહેશે. આ મહિનામાં અન્ય ગ્રહો જેવા કે ગુરુ, શનિ, બુધ અને મંગળની ચાલમાં પણ પરિવર્તન થવાનું છે, જેની સંયુક્ત અસર જોવા મળશે.

  રાશિઓ પર સૂર્ય ગોચરની અસર અને ઉપાયો

મેષ રાશિ: ભાવનાઓમાં વહીને નિર્ણયો ન લો મેષ રાશિના જાતકોના ચોથા ભાવમાં સૂર્યનું ગોચર થશે. આ સમયગાળા દરમિયાન તમારે સાવચેતી રાખવી પડશે. પરિવારમાં સંઘર્ષ થઈ શકે છે, તેનાથી બચવાનો પ્રયાસ કરો.માનસિક તણાવને વધવા ન દો. સ્થાવર મિલકત, ઘરનું સમારકામ અથવા પારિવારિક બાબતોમાંથી બહાર આવી શકો છો. શાંત રહો અને તમારા મન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. 

વૃષભ રાશિ: તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વૃષભ રાશિના જાતકોના ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર થશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે સ્પષ્ટતા સાથે તમારા વિચારો રજૂ કરી શકશો. લેખન, શિક્ષણ વગેરે સાથે જોડાયેલા જાતકો માટે આ સમય સારો રહેશે. ભાઈ-બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત થશે.. વાણીમાં મધુરતા જાળવી રાખો. યાત્રા અનુકૂળ રહેશે. 

મિથુન રાશિ: મહત્વપૂર્ણ નિર્ણયો શાંતિથી લો. સૂર્યનું ગોચર મિથુન રાશિના બીજા ભાવમાં થશે. આવા સમયે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે તમારા આર્થિક પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો શિસ્તબદ્ધ રીતે પૈસાનું રોકાણ કરો. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે શાંત રહો અને વિવેકનો ઉપયોગ કરો. ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરી શકો છો. 

કર્ક રાશિ: નવું કામ શરૂ કરી શકો છો. કર્ક રાશિના લગ્ન ભાવમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે. આવા સમયે તમે ઊર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. આ ઉપરાંત તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પૂરો પ્રયાસ કરશો. નવું કામ શરૂ કરવાનું મન બનાવી શકો છો. આ ઉપરાંત તમે તમારા રંગરૂપમાં કેટલાક ફેરફારો કરી શકો છો. તમારામાં સાહસ દેખાશે, પરંતુ જરૂર કરતાં વધારે આત્મકેન્દ્રિત ન દેખાઓ. 

આ સમાચાર પણ વાંચો : Shani Margi 2025: 138 દિવસ બાદ શનિ થશે માર્ગી, જાણો શનિ સાડાસાતી વાળી રાશિઓ પર શું થશે અસર

સિંહ રાશિ: ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. સિંહ રાશિના 12મા ભાવમાં આગામી એક મહિના માટે સૂર્યનું સંચાર થશે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા પોતાના વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં બિનજરૂરી વિવાદોથી બચવાની જરૂર છે. આ ઉપરાંત આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન આપો. મૌન અને ધ્યાન કરવાથી તમને સારું લાગશે.  

કન્યા રાશિ: કોઈ પણ પ્રકારના બહેકાવામાં ન આવો. કન્યા રાશિના જાતકોના 11મા ભાવમાં આગામી એક મહિના સુધી સૂર્યનું સંચાર થશે. આ સમયગાળામાં તમે સમજી વિચારીને નિર્ણયો લો. કોઈ પણ પ્રકારના બહેકાવામાં ન આવો. તમે તમારા દીર્ઘકાલિન લક્ષ્યોને પૂર્ણ કરવા માટે વધારાનો પ્રયાસ કરશો. આ ઉપરાંત કાર્યક્ષેત્રમાં તમારામાં નેતૃત્વ કરવાની ભાવના જાગી શકે છે. સામાજિક વર્તુળમાં વિસ્તરણ થઈ શકે છે. 

તુલા રાશિ: કૂટનીતિથી ફાયદો મળશે .તુલા રાશિના જાતકોના 10મા ભાવમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે. આ સમયગાળામાં તમને નેતૃત્વ કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત તમે સખત મહેનતથી કરિયરમાં સારું પ્રદર્શન કરવામાં સફળ થશો. આ ઉપરાંત તમને મોટી જવાબદારી મળી શકે છે. સૂર્ય ગોચરથી તમારા ભાવનાત્મક જ્ઞાનમાં વધારો થશે. તમારે ઈમાનદારીથી પ્રયાસ કરવાની જરૂર છે. કૂટનીતિક નિર્ણયોનો ફાયદો મળશે. 

વૃશ્ચિક રાશિ: બિનજરૂરી અપેક્ષાઓ ન રાખો. વૃશ્ચિક રાશિના જાતકોના 9મા ભાવમાં સૂર્યનું ગોચર થવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં ગુરુજનો પાસેથી જ્ઞાન મેળવવાથી તમને ફાયદો થશે. આ ઉપરાંત, એવી કોઈ અપેક્ષાઓ ન રાખો કે જે પૂરી ન થવા પર તમને આઘાત લાગી શકે. આ ઉપરાંત જૂના અનુભવોમાંથી શીખો. યાત્રાનું આયોજન કરી શકો છો. આધ્યાત્મિક કાર્યોમાં તમારું મન લાગશે. 

ધનુ રાશિ: નાણાકીય બાબતોમાં સફળતા મળશે. સૂર્યનું ગોચર ધનુ રાશિમાં 8મા ભાવમાં થઈ રહ્યું છે. આ ભાવ પરિવર્તન, ભાવનાત્મક ઊંડાણનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયગાળામાં તમે આર્થિક બાબતોને ઉકેલી શકો છો. કોઈ ડરથી તમને છુટકારો મળી શકે છે. આ ઉપરાંત તમને નાણાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે. સમજદારીથી નિર્ણયો લો.

મકર રાશિ: વાણી-વર્તનમાં મધુરતા રાખો સૂર્ય ગોચર મકર રાશિના સાતમા ભાવમાં થઈ રહ્યું છે. આવા સમયે આ સમયગાળા દરમિયાન વાણી અને વર્તનમાં મધુરતા રાખવાથી ફાયદો મળશે. જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત થશે. લગ્ન યોગ્ય જાતકો માટે સંબંધ આવી શકે છે. આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં અનુકૂળતાનો અનુભવ કરશો. સમજૂતીઓ તમને લાભ અપાવશે. આ ઉપરાંત બાહ્ય દબાણોથી બચવા માટે ભાગીદારીમાં કામ કરી શકો છો. મકર રાશિ માટે સૂર્ય ગોચરના ઉપાય: રવિવારના દિવસે મીઠાનું સેવન કરવાનું ટાળો.

કુંભ રાશિ: ફેરફારોને મંજૂરી આપી શકો છો કુંભ રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં સૂર્ય આગામી એક મહિના સુધી સંચાર કરશે. તમે આ સમયગાળામાં તમારા વ્યવસાયમાં મોટા ફેરફારોને મંજૂરી આપી શકો છો. જો વસ્તુઓ અવ્યવસ્થિત ચાલી રહી છે, તો તમે તેમને પાટા પર લાવી શકો છો. આ ઉપરાંત માનસિક અને શારીરિક રીતે આ સમય તમારી તબિયતને મજબૂતી આપનારો રહેશે. કામના દબાણને કુશળતાપૂર્વક સંભાળો. કુંભ રાશિ માટે સૂર્ય ગોચરના ઉપાય: વાંદરાઓને ઘઉં અને ગોળ ખવડાવો.

મીન રાશિ: તમે ઉત્સાહિત અનુભવ કરશો મીન રાશિના 5મા ભાવમાં સૂર્ય પ્રવેશ કરી રહ્યા છે. આવા સમયે આ સમય તમારા માટે સારો રહેશે. તમે બાળકો સાથે સારો સમય વિતાવશો. તમારું મન પ્રસન્ન રહેશે. નવા સંબંધોની શોધ માટે આ સમય અનુકૂળ છે. કાર્યક્ષેત્રથી લઈને અંગત જીવનમાં તમને ભાવનાત્મક સંતોષ મળશે. તમે ઉત્સાહિત અનુભવ કરશો. આ ઉપરાંત તમારી કલાત્મક બાજુ મજબૂત થઈ શકે છે.

 Surya Gochar 2025 : સાવચેતી અને ઉપાયો: સૂર્ય ગોચરની નકારાત્મક અસરોને ઘટાડવા અને સકારાત્મક અસરોને વધારવા માટે, જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવે છે:

 (Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૯ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા 2025: ક્યારે છે? જાણો પૂજન વિધિ, શુભ મુહૂર્ત અને માતા લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત કરવાની રીત
Devuthani Ekadashi: દેવઉઠની એકાદશી 2025: 142 દિવસ પછી નિદ્રામાંથી જાગશે શ્રી હરિ, આ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,,જાણો આપનું રાશિફળ
Exit mobile version