News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨૩ ડિસેમ્બર ૨૦૨૩, શનિવાર
“તિથિ” – માગશર સુદ અગિયારસ
“દિન મહીમા”
મોક્ષદા/વૈકુંઠ એકાદશી-રાજગરો(વૈ), ભરણી દિપમ્, કિશાન દિન, સ્થિરયોગ ૩૦:૩૫ થી સૂ.ઉ, અખંડ/મત્સ્ય/દાન દ્વાદશી, જૈન અરનાથ દિક્ષા, મલ્લીનાથ જન્મ-દિક્ષા-કે.જ્ઞાન
“સુર્યોદય” – ૭.૦૯ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૫ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૫૩ થી ૧૧.૧૫
“ચંદ્ર” – મેષ, વૃષભ (૨૭.૧૬)
આજે જન્મેલા બાળકની રાશી ૨૪ ડિસેમ્બર, સવારે ૩.૧૬ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.
“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૨૧.૧૭)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૭.૧૬)
૨૪ ડિસેમ્બર, સવારે ૩.૧૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૧ – ૯.૫૩
ચલઃ ૧૨.૩૭ – ૧૩.૫૯
લાભઃ ૧૩.૫૯ – ૧૫.૨૨
અમૃતઃ ૧૫.૨૨ – ૧૬.૪૪
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૬ – ૧૯.૪૪
શુભઃ ૨૧.૨૨ – ૨૨.૫૯
અમૃતઃ ૨૨.૫૯ – ૨૪.૩૮
ચલઃ ૨૪.૩૮ – ૨૬.૧૬
લાભઃ ૨૯.૩૨ – ૩૧.૧૦
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.
“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.