Site icon

Coconut Breaking Ritual: શુભ કાર્ય પહેલા શા માટે વધેરવામાં આવે છે નારિયેલ ? જાણો હિંદુ પરંપરાનું શાસ્ત્રીય કારણ

Coconut Breaking Ritual: શ્રીફળ ફોડવું એ અહંકારનો ત્યાગ અને ભગવાનને સમર્પણનો સંકેત છે, દરેક શુભ કાર્યમાં શાંતિ અને શક્તિ માટે થાય છે ઉપયોગ

Why Do We Break Coconut Before Auspicious Work? Ancient Hindu Tradition Explained

Why Do We Break Coconut Before Auspicious Work? Ancient Hindu Tradition Explained

News Continuous Bureau | Mumbai

Coconut Breaking Ritual: હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા નારિયેલ વધેરવા ની પરંપરા છે. આ પરંપરા શતાબ્દીઓથી ચાલી આવી છે. નારિયેલને શ્રીફળ પણ કહેવામાં આવે છે અને તે દરેક દેવ-દેવતાઓની પૂજામાં ઉપયોગ થાય છે. નારિયેલનું કઠણ બહારનું આવરણ અહંકાર અને અવરોધોનું પ્રતિક છે, જ્યારે અંદરનો સફેદ ભાગ વિનમ્રતા અને શુદ્ધતાનું પ્રતિક છે.

Join Our WhatsApp Community

શાસ્ત્રીય દૃષ્ટિએ નારિયેલનું મહત્વ

શાસ્ત્રો અનુસાર, નારિયેલ ફોડવું એ ભગવાનને અહંકાર અને દુઃખ સમર્પિત કરવાનો સંકેત છે. જ્યારે નારિયેલ ફૂટે છે અને તેનો પાણી બહાર આવે છે, ત્યારે માનવામાં આવે છે કે તે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. ખાસ કરીને શ્રીગણેશ ની પૂજામાં નારિયેલ ખૂબ જ પ્રિય છે.

કયા-કયા પ્રસંગે નારિયેલ વધેરવામાં આવે છે?

આ તમામ પ્રસંગે નારિયેલ વધેરી ને ભગવાનને શ્રદ્ધા અને સમર્પણ દર્શાવવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Gayatri Mantra Meaning: ગાયત્રી મંત્ર માત્ર પૂજા માટે નહીં, પણ જીવનને સાચી દિશા આપનાર શક્તિશાળી સાધન છે, જાણો તેનું મહત્વ

આધ્યાત્મિક અર્થ અને માનસિક શાંતિ

નારિયેલ વધેરવું માત્ર ધાર્મિક ક્રિયા નથી, પણ તે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ માટે પણ મહત્વપૂર્ણ છે. આ ક્રિયા દ્વારા વ્યક્તિ પોતાનું અહંકાર ત્યાગે છે અને ભગવાનના આશીર્વાદ માટે પોતાને ખુલ્લું રાખે છે. આથી, નારિયેલ વધેરવું એ એક આધ્યાત્મિક સંકેત છે કે આપણે દરેક કાર્ય ભગવાનના આશીર્વાદથી શરૂ કરીએ છીએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ? વર્ષ 2026 માં ઉત્તરાયણ અને ષટતિલા એકાદશીનો અદભૂત સંયોગ, જાણો દાન અને ખીચડીનું મહત્વ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version