Site icon

Nag Panchami: નાગ પંચમી ના પાવન દિવસે તવો અને લોખંડની વસ્તુઓનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે, જાણો શું છે માન્યતા

Nag Panchami: નાગ પંચમીના દિવસે ઘરમાં રોટલી નથી બનતી તેમજ તે દિવસે તવો અને લોખંડની વસ્તુઓનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીયે તેની પાછળ શું છે માન્યતા

Why Rotis Are Not Cooked on Nag Panchami Know the Spiritual Belief

Why Rotis Are Not Cooked on Nag Panchami Know the Spiritual Belief

News Continuous Bureau | Mumbai 

Nag Panchami: નાગ પંચમી હિંદુ ધર્મમાં ખૂબ જ પાવન અને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ ના ગળાના શણગાર તરીકે નાગ દેવતા ની પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે લોખંડથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને રોટલી બનાવવામાં આવતો તવો નાગના ફણ સાથે જોડાયેલી માન્યતા ધરાવે છે, જેના કારણે આ દિવસે તવા પર રોટલી  બનાવવી મનાઈ છે.

Join Our WhatsApp Community

નાગ પંચમીના દિવસે તવો કેમ ન વાપરવો જોઈએ?

ધાર્મિક માન્યતા મુજબ, તવો નાગના ફણનું પ્રતિક માનવામાં આવે છે. નાગ પંચમીના દિવસે તવો વાપરવાથી નાગ દેવતા નારાજ થઈ શકે છે. તવા ને રાહુ ગ્રહનું પ્રતિક પણ માનવામાં આવે છે, અને આ દિવસે તેનો ઉપયોગ કરવાથી રાહુના દુષ્પ્રભાવથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Navpancham Rajyog 2025: ૩૦ વર્ષ બાદ બન્યો નવપંચમ રાજયોગ, આ રાશિઓ પર શનિ અને સૂર્યની વરસશે કૃપા

નાગ પંચમી 2025માં 29 જુલાઈના રોજ ઉજવાશે. આ દિવસે નાગ દેવતા ની પૂજા, દુધ ચઢાવવું, રુદ્રાભિષેક કરાવવો અને કાલસર્પ દોષથી મુક્તિ માટે ઉપાય કરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે તવો, લોખંડ અને તાજું ભોજન ટાળવું શ્રેયસ્કર છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Exit mobile version