Site icon News Continuous Bureau | Mumbai

આજનો દિન વિશેષ – ગાંધી જ્યંતી (02-10-2020)

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની 151મી જયંતી છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ તેમના માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આજના દિવસે લોકો સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને ગાંધી બાપુને યાદ કરે છે. 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપિતા તરીકે પણ જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમને પ્રેમથી બાપુ પણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળમાં અહિંસા અને સત્યને અનુસર્યા હતા અને તે જ લોકોને શીખવ્યું હતું. દર વર્ષે 02 ઓક્ટોબરે, મહાત્મા ગાંધીની જન્મજયંતિ ભારતના ખૂણે-ખૂણે તેમજ વિશ્વના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રેલીઓ, પોસ્ટર હરીફાઈઓ, ભાષણ, ચર્ચા, નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  

Best Ropeway Destinations in India ભારતના આ સુંદર સ્થળો પર લો રોપવે (Ropeway) નો આનંદ, જોવા મળશે મનમોહક નજારા
Indian Railways Honeymoon Coach નંદીગ્રામ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ‘હનીમૂન ડેકોરેશન’ કરાવવું કપલને પડ્યું મોંઘું, રેલવેએ લીધા કડક પગલાં..
IRCTC Bangkok Pattaya Tour Package IRCTC ટુર પેકેજ થાઈલેન્ડની સફર હવે વધુ સરળ અને સસ્તી, જાણો શું છે ખાસ સુવિધાઓ
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version