ભારતીય રેલવે મહાશિવરાત્રી પર લાવ્યું ખાસ ઓફર, બમ બમ ભોલેના નાદ સાથે આ જ્યોતિર્લિંગના કરો દર્શન.. જાણો કિંમત થી લઇને બધુ જ

હિન્દુ ધર્મમાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં મહાકાલના ભક્તોનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ આવવાનો છે. જેની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

by Dr. Mayur Parikh
IRCTC BIG Update! Indian Railways To Offer Rs 20 Meals To General Coach Passengers

News Continuous Bureau | Mumbai

હિન્દુ ધર્મમાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં મહાકાલના ભક્તોનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ આવવાનો છે. જેની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ જ ક્રમમાં, જેઓ જ્યોતિર્લિંગની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. તેઓ માટે ભારતીય રેલવે મોટી ભેટ લઈને આવ્યું છે. જાણો આ ખાસ ટૂર પેકેજ વિશે વિગતવાર…

આ યાત્રા મુંબઈથી શરૂ થશે

આ યાત્રા આવતી 17મી ફેબ્રુઆરી એટલે કે શિવરાત્રીના એક દિવસ પહેલા શરૂ થશે, જે 6 દિવસ અને 5 રાતનું ટૂર પેકેજ હશે. આ ટૂર પેકેજનું નામ છે ‘દક્ષિણ ભારત – મહાશિવરાત્રી સ્પેશ્યલ ટુર’. આ રેલ ટૂર પેકેજમાં તમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ દરમિયાન શિવભક્તોને દક્ષિણ ભારતમાં સ્થિત અનેક જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે.

આ સ્થળોને આવરી લેવામાં આવશે

મદુરાઈ

રામેશ્વરમ

કન્યાકુમારી

તિરુવનંતપુરમ

કોવલમ

મુંબઈ

આ સમાચાર પણ વાંચો:  કડક પગલાં / RBIએ ફરી કેન્સલ કર્યા આ બે ‘બેંકો’ના લાઈસન્સ, આ કારણે થઈ કાર્યવાહી

IRCTCએ ટ્વિટ કર્યું

IRCTCએ પોતાના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પણ આ વખતે શિવરાત્રી પર ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો રેલવે તમારા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. આ IRCTCનું દક્ષિણ ભારત ટૂર પેકેજ છે.

ભાડું જાણો

સિંગલ – 49,700 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ટ્વીન – 38,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ટ્રિપલ – 37,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

બાળકો (5-11 વર્ષનાં બેડની સુવિધા) – 31,900 રૂપિયા

બાળકો (5 થી 11 વર્ષ સુધી, બેડની સુવિધા વિના) – 29,300 રૂપિયા

આ ટૂર પેકેજમાં મુસાફરો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી માટે, મુસાફરો IRCTCની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર જઈને ઓનલાઈન બુક કરી શકે છે. આમાં તમને તમામ માહિતી સરળતાથી મળી જશે.

આ સમાચાર પણ વાંચો:  અમિત શાહે કહ્યું- ત્રિપુરામાં જ નહીં, રાજસ્થાન-કર્ણાટક, છત્તીસગઢ અને એમપીમાં પણ બનશે ભાજપની સરકાર

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More