Site icon

જાણવા જેવુ / તરબૂચ ખાધા પછી પાણી પીવું યોગ્ય છે કે નહીં? જાણો એક્સપર્ટનો અભિપ્રાય

ઘણા લોકો માને છે કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. કારણ કે સ્વાસ્થ્ય અનુસાર આવું કરવું યોગ્ય નથી. આજે આપણે આ વિશે વાત કરીશું કે શું તરબૂચ ખાધા પછી પાણી પીવાથી ખરેખર સ્વાસ્થ્ય બગડી શકે છે કે પછી પેટમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ.

To know / Is drinking water right after eating watermelon or not

To know / Is drinking water right after eating watermelon or not

News Continuous Bureau | Mumbai
આ ભીષણ ગરમી અને હીટવેવથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે પોતાને હંમેશા હાઇડ્રેટેડ રાખો. હાઇડ્રેટેડ રહેવા માટે, તમારે વધુને વધુ પાણી અને મોટા પ્રમાણમાં ફળોનું સેવન કરવું જોઈએ. જે તમારા શરીરમાં પાણીની કમી ન થવા દે. ઉદાહરણ તરીકે તરબૂચ લઈ લો. તરબૂચ એક એવું ફળ છે જેમાં 92 ટકા પાણી હોય છે. સાથે જ તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એન્ટીઓક્સીડેન્ટ્સનો એક મોટો સ્ત્રોત છે. ઉનાળામાં તે સૌથી વધુ પસંદ કરવામાં આવતું ફળ છે. પરંતુ એક તરફ તેમાં ઘણી બધી ખૂબીઓ છે તો બીજી તરફ તેને લઈને અનેક વિવાદો છે. ઘણા લોકો માને છે કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. કારણ કે સ્વાસ્થ્ય અનુસાર આવું કરવું યોગ્ય નથી. આજે આપણે આ વિશે વાત કરીશું કે શું તરબૂચ ખાધા પછી પાણી પીવાથી ખરેખર સ્વાસ્થ્ય બગડી શકે છે કે પછી પેટમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ.

તરબૂચ ખાધા પછી પાણી પીવાથી કોઈ સમસ્યા નથી

ઓન્લી માય હેલ્થમાં પ્રકાશિત સમાચાર મુજબ, તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે તમારી તરસ છીપાવવા અને હાઇડ્રેટ કરવા માટે પૂરતું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તેમાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને હેલ્ધી રાખે છે. આ ઉપરાંત, તે ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરયુક્ત ફળ છે. પરંતુ શું તરબૂચ ખાધા પછી પાણી પીતી વખતે તમને કોઈ પ્રકારની પરેશાની થઈ શકે છે? ઘણા લોકો માને છે કે તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચન રસ પાતળો થાય છે અને પાચન પ્રક્રિયામાં અવરોધ આવે છે. જો કે, ઘણા અહેવાલોમાં આ વાતને નકારી કાઢવામાં આવી છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવું કંઈ જ થતું નથી. તરબૂચ ખાધા પછી પાણી પીવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. ડોક્ટરના મતે તરબૂચ ખાધા પછી પાણી પીવું સામાન્ય રીતે સલામત છે અને તેની કોઈ ખાસ આડઅસર થતી નથી. જો કે, તમે તરબૂચ ખાધા પછી તરત જ પાણી પીવાનું પસંદ કરો છો કે નહીં તે વ્યક્તિગત પસંદગીની બાબત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: જન્મ તારીખથી જાણો ક્યા ક્ષેત્રમાં તમારા માટે કરિયર બનાવવી સરળ બનશે, તમે ઝડપથી ચઢશો સફળતાની સીડી

તરબૂચ ખાધા પછી પાણી પીવાને અંગે નિયમ નથી

તરબૂચ ખાધા પછી પાણી પીવાનો કોઈ ખાસ નિયમ નથી. જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે તરબૂચ ખાધા પછી આરામથી પાણી પી શકો છો. ઉનાળામાં દિવસભર હાઇડ્રેટેડ રહેવું સૌથી જરૂરી છે. ભલે તમે તરબૂચ ખાઓ કે અન્ય ફળો ખાઓ. જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત છો, તો તમારે તેના માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હાઇડ્રેટેડ રહેવુ કેમ જરૂરી છે ?

આપણું શરીર લગભગ 60% પાણીથી બનેલું હોય છે, અને ઘણા શારીરિક કાર્યોમાં પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, અહીં કેટલાક કારણો છે કે શા માટે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે.

શરીરમાં પાણીની અછત

શરીરમાં પાણીની ઉણપના કારણે ઈનબેલેન્સ થઈ શકે છે. તરબૂચ શરીરમાં પોષક તત્વોની ઉણપ, ઓક્સિજનની ઉણપને પૂરી કરે છે.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version