Site icon

Shivraj Patil Passes Away: પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, ૯૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Shivraj Patil Passes Away

Shivraj Patil Passes Away

News Continuous Bureau | Mumbai

Shivraj Patil Passes Away: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું  લાતૂરમાં ૯૦ વર્ષની વયે નિધન થયું છે. પાટીલે લાંબી બીમારીના કારણે સવારે લગભગ ૬:૩૦ વાગ્યે લાતૂરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં શોકનું વાતાવરણ છે. પાટીલને ભારતીય રાજકારણમાં એક શાંત, સંયમિત અને અત્યંત મહેનતુ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા.

શિવરાજ પાટીલની રાજકીય સફર

શિવરાજ પાટીલનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૩૫ ના રોજ લાતૂર જિલ્લાના ચાકુર ખાતે થયો હતો. તેમણે આયુર્વેદનો અભ્યાસ કર્યા બાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમનું રાજકારણનું સફર ૧૯૬૭ માં લાતૂર નગરપાલિકામાં કામકાજ સંભાળવાથી શરૂ થયો.૧૯૮૦ માં તેઓ પ્રથમ વખત લાતૂર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા અને ત્યારબાદ સતત સાત વખત આ બેઠક પરથી જીતીને સંસદ પહોંચ્યા.ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં તેમણે સંરક્ષણ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરમાણુ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ અને અવકાશ જેવા મહત્ત્વના વિભાગોમાં રાજ્ય મંત્રીની જવાબદારી નિભાવી.

લોકસભાના સ્પીકર તરીકે યોગદાન

શિવરાજ પાટીલે ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી લોકસભાના સ્પીકર તરીકે સેવા આપી.તેમના કાર્યકાળમાં તેમણે લોકસભાનું આધુનિકીકરણ, કમ્પ્યુટરાઇઝેશન, કાર્યવાહીનું સીધું પ્રસારણ અને નવી લાઇબ્રેરી બિલ્ડિંગના નિર્માણ જેવા કાર્યોને ઝડપ આપી. આ સમયગાળો ભારતીય સંસદના વહીવટી અને તકનીકી પરિવર્તનનો એક મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: Parliament E-Cigarette Row: સંસદમાં ઈ-સિગારેટ પીવાના આરોપ પર સ્પીકરે લીધી નોંધ, કયા સાંસદે કર્યું આ કૃત્ય?

ગૃહમંત્રી અને ત્યારબાદના પદ

૨૦૦૪ માં ચૂંટણી હારી ગયા હોવા છતાં, તેમને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. જોકે, ૨૦૦૮ ના મુંબઈ આતંકવાદી હુમલાઓ પછી તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું. ત્યારબાદ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેમણે પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક તરીકે સેવા આપી.

 

Exit mobile version