Site icon

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. વિદેશ મંત્રાલયે ભારતમાં બાંગ્લાદેશના હાઈકમિશનર એમ. રિયાઝ હમીદુલ્લાહ ને તેડું પાઠવીને ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષા વ્યવસ્થા અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કર્યા છે

India-Bangladesh tensions ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો ઢાકામાં

India-Bangladesh tensions ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો ઢાકામાં

News Continuous Bureau | Mumbai
India-Bangladesh tensions બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષાને લઈને વધતી જતી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે બુધવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈકમિશનરને તલબ (Summon) કર્યા છે. ઢાકામાં ભારતીય મિશનની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને ભારત વિરોધી નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે.

ભારતીય મિશનની સુરક્ષા પર સવાલ

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ઢાકામાં ભારતીય મિશનની બહાર સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ભારતે ઔપચારિક રીતે બાંગ્લાદેશ સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા અને દૂતાવાસના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.ભારતીય હાઈકમિશનરને વારંવાર મળી રહેલી ધમકીઓને ભારતે અત્યંત ગંભીરતાથી લીધી છે.

Join Our WhatsApp Community

ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો

આ તણાવ પાછળ બાંગ્લાદેશના કેટલાક નેતાઓના ભારત વિરોધી નિવેદનો મુખ્ય કારણ માનવામાં આવે છે.બાંગ્લાદેશની નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP) ના નેતા હસનત અબ્દુલ્લાએ જાહેરમાં ભારત વિરોધી ઝેર ઓક્યું હતું. તેમણે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને અલગ કરવાની અને અલગતાવાદી તત્વોને આશરો આપવાની ધમકી આપી હતી.

આ સમાચાર પણ વાંચો: Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં

વિજય દિવસના ઠીક બાદ વિવાદ

આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાક્રમ બાંગ્લાદેશના ‘વિજય દિવસ’ (16 ડિસેમ્બર) ના બીજા જ દિવસે સામે આવ્યો છે. આ દિવસ 1971 ના યુદ્ધમાં ભારતની જીત અને બાંગ્લાદેશની આઝાદીની યાદમાં ઉજવવામાં આવે છે.એક તરફ વિદેશ મંત્રી એસ. જયશંકરે વિજય દિવસ નિમિત્તે બાંગ્લાદેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ ત્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Pakistan Economic Crisis: પાકિસ્તાન બરબાદીના આરે! PM શાહબાઝ શરીફના એક નિવેદને દુનિયાભરમાં જગાવી ચર્ચા; જાણો પાકિસ્તાન કેમ બની રહ્યું છે ‘આર્થિક ગુલામ’?
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version