કોરોનાથી સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ના મોતના સમાચાર અફવા છે.
છોટા રાજનનાં મોતના સમાચારોને ખોટા જાહેર કરતાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે તે જીવીત છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.