સ્વાસ્થ્ય જાણકારી- પનીર અસલી છે કે નકલી તે જાણવા માટે ઘરમાં પડેલી આ 2 વસ્તુઓ થી કરો ટેસ્ટ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પનીર (Paneer)એક એવો ખોરાક છે જે નાના મોટા દરેક ને પ્રિય છે. પનીર સ્વસ્થ હોવા ઉપરાંત, તેમાંથી બનાવેલી વાનગીઓને તેમના લાજવાલ સ્વાદ માટે પસંદ કરવામાં આવે છે અને તેથી, પનીરને વિવિધ રીતે રાંધવામાં આવે છે અને પીરસવામાં આવે છે, પછી ભલે તે ઘરે હોય કે રેસ્ટોરન્ટમાં. કારણ કે પનીર એક ડેરી પ્રોડક્ટ(dairy product) છે અને તેમાં દૂધના તમામ પોષક તત્વો હોય છે. પનીરમાં કેલ્શિયમ(calcium) અને હેલ્ધી ફેટ્સ મળી આવે છે.આ સિવાય તેમાં આયર્ન પણ જોવા મળે છે. પનીર ખાવાથી માંસપેશીઓનો વિકાસ થાય છે અને હાડકાં મજબૂત(bone health) થાય છે. પરંતુ, તમારા સ્વાસ્થ્યને આ બધા ફાયદા ત્યારે જ મળી શકે છે જો પનીરમાં ભેળસેળ ન હોય. હા, અન્ય ખાદ્ય ચીજોની જેમ પનીર માં પણ ભેળસેળ હોય છે અને જે લોકો તેને હેલ્ધી ગણીને ખરીદે છે તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.પરંતુ, નકલી પનીરના(fake paneer) નુકસાનથી પોતાને કેવી રીતે બચાવવું તેના માટે નકલી પનીર ઓળખીને અને તેના વપરાશને ટાળીને છે. પરંતુ, જો તમને અસલી પનીર અને નકલી પનીર કેવી રીતે ઓળખવું તે ખબર નથી, તો તમે અહીં લખેલી પદ્ધતિઓ અજમાવી શકો છો. 

1. પનીર ખરીદ્યા પછી તરત જ આ કામ કરો

દુકાનમાંથી પનીર લાવ્યા પછી, સૌ પ્રથમ પનીરની શુદ્ધતા તપાસવા માટે એક સરળ ટેસ્ટ (test)કરો. આ માટે પનીરને તમારા હાથથી મેશ (mesh)કરવાનો પ્રયાસ કરો. જો પનીરમાં ભેળસેળ હોય તો તે તૂટીને પાવડર (powder)બની જાય છે. સામાન્ય રીતે પનીર મિલ્ક પાવડર અથવા સ્કિમ્ડ મિલ્ક પાવડરમાંથી બનાવવામાં આવે છે. આ પ્રકારનું પનીર ખાવાથી પાચનતંત્ર ને નુકસાન થાય છે અને તેનાથી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

2. સોયાબીનની મદદથી નકલી પનીર ને ઓળખો

ઘરે મળી આવતા સાદા સોયાબીનની(soybean) મદદથી પણ નકલી પનીર ને ઓળખી શકાય છે. આ માટે પનીરને થોડીવાર ગરમ પાણીમાં રાખો અથવા થોડીવાર ઉકાળો. આ પછી પાણીમાં સોયાબીનનો લોટ અથવા સોયાબીન પાવડર (soybean powder)નાખો. લોટ મિક્સ કર્યા પછી નકલી પનીરનો રંગ લાલ થઈ જશે.નિષ્ણાતોના મતે જ્યારે પનીર બનાવતી વખતે તેમાં ડિટર્જન્ટ(detergent) અને યુરિયા જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે, તો પનીરનો રંગ લાલ થઈ જાય છે.તમને જણાવી દઈએ કે યુરિયા અને ડિટર્જન્ટ મિક્સ કરવાથી શરીરને ઘણું નુકસાન થાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- અચાનક પરસેવો આવવો એ સામાન્ય બાબત નથી-શરીર આ રોગનો આપે છે સંકેત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More