ગુરુવારે આ રીતે કરો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ-નાણાકીય બાજુ બનશે મજબૂત-થશે દરેક ઈચ્છા પૂર્ણ

News Continuous Bureau | Mumbai

ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને આ ચાર મહિનામાં પૂજા, જપ, તપ અને સાધનાનું વિશેષ મહત્વ છે.ગુરુવારે(thursday) એટલે કે બૃહસ્પતિવાર ભગવાન વિષ્ણુની (lord vishnu)પૂજા કરવાનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે જો ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની ભક્તિ માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો(Vishnu sahastra) પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. જો આ પાઠ યોગ્ય પદ્ધતિ અને નિયમો સાથે કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ની કૃપાથી કષ્ટો દૂર થાય છે.

વિષ્ણુ સહસ્રનામ પાઠ ની વિધિ 

– આ પાઠ સૂર્યોદય(sunrais) સમયે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, જો કે તે દિવસના કોઈપણ સમયે આ પાઠ કરી શકાય છે. આ પાઠ કરતી વખતે શરીર(body) અને મનની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. .

– ગુરુવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનું(Mata Laxmiji) આહવાન કરી, તેમની વિધિવત પૂજા કરો અને પછી પાઠ શરૂ કરો.

-વિશેષ મનોકામનાની પૂર્તિ માટે, સ્નાન કર્યા પછી, પીળા વસ્ત્રો પહેરો(yellow cloth), પૂજા સ્થાન પર પાણીથી ભરેલું કલશ રાખો. આ પાઠ પાણીના કળશ વગર અધૂરો ગણાય છે.

-કલશ પર આંબાના પાન અને નાળિયેર(coconut) મૂકીને પાઠની શરૂઆત કરો. ત્યારબાદ વિષ્ણુ ભગવાન ને કોઈપણ પીળા રંગ નો ભોગ ધરો.પાઠના અંતે ભગવાન વિષ્ણુને ચઢાવવામાં આવેલ પીળો ભોગ લો.

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી થતા લાભ 

– એવું માનવામા આવે છે કે, જો ગુરુવાર કે વિશેષ પ્રસંગોએ વ્રત સાથે શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો (Vishnushashtra)પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે.

– આ પાઠ કરવાથી સંતાન પક્ષ નું સુખ મળે છે. 

– કુંડળીમાં ગુરૂની અશુભ અસર ઘટાડવા માટે શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ખૂબ જ ફળદાયી છે.

– વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. 

– જે લોકો ના લગ્ન માં(marriage) બાધા આવતી હોય તેવા લોકો એ આ પાઠ રોજ કરવો જોઈએ.

– એવું માનવામાં આવે છે કે દરરોજ ફક્ત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળવાથી ભય દૂર થાય છે અને વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.

– જો દામ્પત્ય જીવન(married life) માં બાધા આવતી હોય તો તેમને નિત્ય આ પાઠ કરવો જોઈએ.

– દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવાથી પણ આત્મવિશ્વાસ (confidence)વધે છે. મન એકાગ્ર રહે છે.તણાવ દૂર થાય છે.

– વિષ્ણુ સહસ્ત્રનામનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સુખ આવે છે. નાણાકીય બાજુ (financial position)મજબૂત બને છે.

આ સમાચાર પણ વાંચો : જો તમને પણ રાત્રી ના સમયે આ કામ કરવાની આદત હોય તો આજ થી જ કરો તેને બંધ- માતા લક્ષ્મી થાય છે નારાજ-સર્જાશે પૈસાની તંગી

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!