તમારી ટ્રેન મોડી પડી- નોટ ટુ વરી- હવે તમને મળશે IRCTC તરફથી આ સુવિધા મફત જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તમે બહારગામ જઈ રહ્યો અને તમારી ટ્રેન મોડી પડે છે તો હવે ચિંતા નહીં કરતા.  ફ્લાઇટમાં(Flight) વિલંબ થવા પર એરલાઇન કંપનીઓ(Airline companies)  મુસાફરોને મફતમાં નાસ્તો, લંચ વગેરે આપે છે. તે મુજબ જ હવે ભારતીય રેલ્વે(Indian Railways), IRCTCએ પણ પોતાના પ્રવાસીઓને આવી જ સુવિધાઓ આપવાનું નક્કી કર્યું છે.  મળેલ માહિતી મુજબ જો ટ્રેન મોડી પડી તો રેલવે મુસાફરોને કેટલીક મફત સેવાઓ પણ આપશે.

જો તમારી ટ્રેન મોડી થાય છે, તો IRCTC તમને ખાવાનું અને ઠંડા પીણા આપશે. આ ભોજન તમને IRCTC દ્વારા બિલકુલ મફતમાં આપવામાં આવે છે. ભારતીય રેલ્વેના નિયમો મુજબ, જ્યારે ટ્રેનો મોડી પડે છે, ત્યારે મુસાફરોને IRCTCની કેટરિંગ પોલિસી(Catering Policy) મુજબ નાસ્તો અને હળવું ભોજન પીરસવામાં આવે છે. આવી સેવાઓ મેળવવાનો મુસાફરોનો અધિકાર છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ-વાળની ​​સમસ્યા ને જડમૂળ થી ખતમ કરવા કરો આમલીના પાન ઉપયોગ-જાણો તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત વિશે

તમારી ટ્રેન મોડી પડી તો એવા બનાવમાં મુસાફરોને IRTCના નિયમો અનુસાર મફતમાં ભોજન મળે છે.  ભોજન પોલિસી મુજબ જો ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી પડશે તો  શતાબ્દી, રાજધાની અને દુરન્તો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ફાયદો થશે

ટ્રેન મોડી પડવાના પ્રકરણમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં સવારનો નાસ્તો ચા અથવા કોફી અને બિસ્કીટ, ચા કે કોફી અને બ્રેડની ચાર સ્લાઈસ, સાંજના નાસ્તા તરીકે પાવ-બટર, IRCTC પોલિસી અનુસાર મુસાફરોને ભોજન પણ આપે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More