Site icon News Continuous Bureau | Mumbai

અમદાવાદમાં તાઉતે વાવાઝોડાનું જોર યથાવત્; આગામી કલાકો અતિમહત્વના, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉતે વાવાઝોડું અમદાવાદ પહોંચી ચૂક્યું છે. એને કારણે અમદાવાદીઓ માટે આગામી છથી આઠ કલાક અતિમહત્વપૂર્ણ છે, એવું જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ મીડિયાને જણાવ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં ૩૮ કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આગામી છથી આઠ કલાક અમદાવાદ માટે અગત્યના છે. અમદાવાદમાં ભારે પવન અને વરસાદ થશે એમ કહેવાઈ રહ્યું છે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૩૫ જેટલા શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લોકોને સ્થળાંતર કરાયા છે. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વીજળીની પણ સમસ્યા નિર્માણ થઈ છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે.

Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Malad Digital Arrest Scam મલાડના નિવૃત્ત વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના નામે ડરાવી ₹૪૧.૫૦ લાખ પડાવ્યા; વસઈથી બે શખ્સો ઝડપાયા
Exit mobile version