ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર, ટોસીલીઝુમેબ અને મોનોક્લોનલ એન્ટિબોડી જેવા અનેક કોકટેલ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેની કિંમત હજારો રૂપિયા છે, પરંતુ આ દવાઓ સામે અશ્વગંધા પણ કોરોના વાયરસને વધતો રોકી શકે છે.
કોરોના વાયરસની વૃદ્ધિ માટે ૨ પ્રોટીન જવાબદાર છે. પ્રથમ કાંટા જેવું દેખાતું એસ પ્રોટીન જે શરીરના કોષને સંક્રમિત કરે છે અને બીજું એમ પ્રોટીન એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે. હવે IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (એઆઇએસટી) દ્વારા થયેલી એક રિસર્ચમાં દાવો કરાયો છે કે બજારમાં માત્ર ૬૦ રૂપિયામાં મળતું અશ્વગંધા એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને કોરોના વાયરસની વૃદ્ધિ અટકાવે છે.
કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત
ઉલ્લેખનીય છે કે અશ્વગંધામાં કુદરતી રીતે જ વિથેનોન નામનું તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને નિષ્ક્રિય કરી નાખે છે અને તેથી વાયરસની વૃદ્ધીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આઇઆઇટી- દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ આ બાબત સિદ્ધ કરી હોવાનો એક ડોક્ટરનો દાવો છે.