શોકિંગ! દહિસરમાં માથા પર સ્લેબ તૂટી પડતા વડાપાવ વિક્રેતાનું ઘટના સ્થળે જ મોત.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai.

દહિસરમાં (Dahisar) વિચિત્ર બનાવ બન્યો હતો, જેમા એક બિલ્ડિગની નીચે ઊભા રહીને વડાપાવ વેચનારા યુવકનું માથા પર ગ્રેનાઈટનો ભારે ટુકડો પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ 38 વર્ષીય યુવક વડાપાવ વેચવાનો ધંધો કરતો હતો. બુધવારે જ્યારે તે તેના મિત્રને મળવા તેના ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો.

પોલોસના જણાવ્યા મુજબ બુધવારે બપોરે દહિસર વિસ્તારના ઓરી પાડા વિસ્તારમાં મહાલક્ષ્મી બિલ્ડિંગમાં આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાનો ભોગ બનનારો યુવક કલ્યાણ ગિરી તેના ઘરની બહાર નીકળ્યો હતો અને તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક  બિલ્ડિંગમાંથી ગ્રેનાઈટનો ટુકડો તૂટીને તેના માથા પર પડ્યો હતો. તેના માથા પર ભારે ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તે મૃત્યુ પામ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :મીરા-ભાયંદર પાલિકાનો અજબ કારભાર, મંડળે કર નહીં ચૂકવતા આખું ધાર્મિક સ્થળ જપ્ત કર્યું, શ્રદ્ધાળુઓ થયા નારાજ…. જાણો વિગતે

આ ઘટના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દુઘર્ટના બની ત્યારે  ગિરીના મિત્રએ મદદ માટે બૂમો પાડી ત્યારે પીડિતાના માતા-પિતા તેમના ઘરની બહાર આવી ગયા. તેઓ ગિરીને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાં દાખલ થતાં પહેલાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન 12) સોમનાથ ઘરઘેએ જણાવ્યા મુજબ “પ્રાથમિક માહિતીના આધારે  ભારતીય દંડ સંહિતાની કલમ 304 (ગુનેગાર હત્યા પરંતુ હત્યાની રકમ નહીં) હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. પથ્થરનો ટુકડો કયા ફ્લોર કે ફ્લેટ પરથી પડ્યો તેની તપાસ ચાલી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More