ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
મુંબઈ શહેરના ત્રણ રેલવે સ્ટેશન પર તેમ જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસ પ્રશાસન ને મળી. ફોન પરથી આવેલી આ ધમકીને પગલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તેમજ ભાયખલા અને દાદર રેલવે સ્ટેશન પર પોલીસ વિભાગનો બોમ્બ સ્ક્વોડ પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલાને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં ત્યાં પણ પોલીસ પહોંચી ગઈ હતી.
જોકે આ તમામ ધમકીઓ પોકળ સાબિત થઇ હતી. પરંતુ પોલીસ પ્રશાસન દોડતું થઇ ગયું હતું.