Site icon

ક્લાસિફાઈડ સમીર વાનખેડેના પિતાની અરજી પર હાઈકોર્ટે આ નેતાને ફટકારી કારણદર્શક નોટિસ, જાણો વિગતે.. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022     

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રના મંત્રી  નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી છે. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજીની સુનાવણી બાદ કોર્ટે મંત્રી મલિકને આ નોટિસ જારી કરી છે. 

જ્ઞાનદેવે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ગત ડિસેમ્બરમાં મલિકે કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું કે તે સોશિયલ મીડિયા અને જાહેરમાં તેના પરિવાર વિરુદ્ધ અપમાનજનક નિવેદનો નહીં કરે, પરંતુ મલિક સતત આવું કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે જ્ઞાનદેવે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version