News Continuous Bureau | Mumbai
જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઓક્ટોબર(October) મહિનામાં મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર 6 કલાક માટે હવાઈ મુસાફરી બંધ(Closed) રહેશે. ચોમાસા બાદ વિવિધ કામો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji Maharaj International Airport)ના 14/32 અને 9/27 રનવે 18 ઓક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.
પ્રાપ્ત જાણકારી મુજબ 18 ઓક્ટોબરે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, રનવેની બંને બાજુની લાઇટ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ બદલવામાં આવશે. આ સમારકામ બાદ સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ માટે રનવે ખોલવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પ્રશાસને આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીના આંગણે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક બોલાવશે ગરબાની રમઝટ- હાઇકોર્ટે ગરબા ઇવેન્ટને લઈને દાખલ કરાયેલ અરજી ફગાવી
મહત્વનું છે કે અગાઉ પણ આ રનવે 10 મેના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. આ રનવે પરથી દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ ટેક ઓફ કરે છે.